હાથરસ ગેંગરેપ કેસના વિરોધમાં ધરણા અને પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યું. શુક્રવારે સાંજે ગેંગરેપના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે તે માટે મોટી સંખ્યામાં દિલ્હીના જંતર મંતર પર લોકો પહોંચ્યા હતા.
પીડિતાને ન્યાય મળે તે માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા
આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતથી દલિત નેતા જીગ્નેશ મેવાણી જંતર-મંતર પહોંચ્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. ત્યાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. જ્યાં તેમણે હાથરસ ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.
There should be no politics on this issue. Why should such an incident happen in UP, Madhya Pradesh, Rajasthan, Mumbai or Delhi? No rape incidents should happen in the country: Delhi CM Arvind Kejriwal at Jantar Mantar https://t.co/AY2qD5KPjmpic.twitter.com/7YEKGuWmAn
સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને જંતર મંતર પહોંચવા કહ્યું હતું
ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે શુક્રવારે બપોરે ટ્વીટ કરીને કહ્યું હતું, 'ઉત્તર પ્રદેશના વહીવટની ક્રૂરતાએ આ અગ્નિ આપણા હૃદયમાં પ્રગટાવી છે. આ જ્વાળા સળગતી રહેવી જ જોઇએ. કાફલો રોકાવો ન જોઈએ, આક્રોશ ઓછો ન થવો જોઇએ. આજે સાંજે 5 કલાકે જંતરમંતર પહોંચો. સરકારને જવાબદાર ઠેરવવા, તેમનું રાજીનામું માંગવા.
બીજી બાજુ પ્રિયંકા ગાંધી વાડ્રા એ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી
દિલ્હીના વાલ્મીકી મંદિરમાં હાથરસ ગેંગરેપ કેસનો ભોગ બનેલી યુવતીની પ્રાર્થના સભા યોજાઇ હતી. જ્યાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ વાલ્મિકી મંદિર પહોંચ્યાં હતાં અને ત્યાં યોજાનારી પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. પ્રાર્થના સભા દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે અમે અન્યાય સામે લડીશું. આપણે આ લોકો સામે રાજકીય લડતને તીવ્ર બનાવવી પડશે. પ્રાર્થના સભા દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે કોંગ્રેસના અન્ય નેતાઓએ હાથરસ ની દીકરી માટે 2 મિનિટનું મૌન ધારણ કર્યું હતું.
New Delhi: Youth Congress members dressed as Mahatma Gandhi, organise a demonstration at Jantar Mantar Road to protest the alleged Hathras gangrape pic.twitter.com/7fSfp53GFL
રાત્રે પીડિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર પર નારાજગી વ્યક્ત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાત્રે અંતિમ સંસ્કાર કરવાની કોઈ પરંપરા નથી. આખરે, શા માટે પરિવારને અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવામાં આવી નહીં?
Delhi: CPM General Secretary Sitaram Yechury and CPI leader D Raja take part in a protest against #Hathras incident, at Jantar Mantar
Sitaram Yechury says, "The UP government has no right to stay in power. Our demand is that justice should be served." pic.twitter.com/sgZTpg0p61
હાથરસ કેસ મામલે હાલ યુપી સરકાર ચોતરફ થી ઘેરાયેલી જણાઈ રહી છે, યુપીના મુખ્યમંત્રીને પહેલા તો વિપક્ષના જોરદાર આંદોલનનો સામનો કરવો પડ્યો, બાદમાં તેમની જ પાર્ટી ભાજપ અંદરથી પણ યુપી પોલીસ ની કાર્યવાહી અંગે વિરોધ ઉઠી રહ્યો છે.
५)हमने अभी राम मंदिर का शिलान्यास किया है तथा आगे देश में रामराज्य लाने क़ा दावा किया है किन्तु इस घटना पर पुलिस की संदेहपूर्ण कार्यवाही से आपकी, @UPGovt की , तथा @BJP4India की छवि पे आँच आयी है ।
આ મુદ્દે હવે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પણ નિવેદન આપ્યું છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે જો હું હાલ કોરોના સંક્રમિત ન હોત તો હું પીડિતા ના પરિવારની સાથે હોત. તેમણે યુપ્ગી આદિત્યનાથ ને કહ્યું હતું કે આપણે દેશમાં રામરાજ્ય લાવવાનું છે. પોલીસની શંકાસ્પદ કાર્યવાહીને લઈને યુપી સરકારની ઈમેજ ખરડાઈ હોવાની વાત તેમણે કહી હતી.નેતાઓ મીડિયાને પરિવાર જોડે મળવા દેવાની યોગી સરકારને અપીલ પણ કરી હતી.
मै कोरोना वार्ड में बहुत बैचेन हू । अगर मैं कोरोना पॉज़िटिव ना होती तो मैं भी उस गाव मै उस परिवार के साथ बैठी होती । AIIMS ऋषिकेश से छुट्टी होने पर मै हाथरस में उस पीड़ित परिवार से ज़रूर मिलूँगी ।
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે એ પણ જ્યાં આરોપીઓને ફાંસીની માંગણી કરી ચૂક્યા છે, તાય્રે આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ એ પીડિતાના મૃતદેહને પરિવારને સોન્પાવો જોઈતો હતો તેમ કહ્યું હતું.