શોધખોળ દરમિયાન એક બળદનો મૃતદેહ મળી આવ્યો, ખેડૂત હજુ પણ લાપતા
જામજોધપુરના ગીંગણી ગામે બળદો સાથે ખેડૂત તણાયો
વેણુ નદી માંથી પસાર થઈ રહેલો ખેડૂત બળદો સાથે તણાયો
શોધખોળ દરમિયાન એક બળદનો મૃતદેહ મળી આવ્યો
ગુજરાતમાં મેઘતાંડવ માતમ લાવ્યો
ગુજરાત સહિત આખા દેશમાં અત્યારે મેઘતાંડવ થઈ રહ્યો છે, ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે જ અમદાવાદમાં અંડરબ્રિજમાં તણાઇ જવાના કારણે એક જવાનજોધ યુવકનું મોત થયું છે ત્યારે જામજોધપૂરથી પણ ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે.
જામજોધપુરમાં ખેડૂત તણાયો
જામજોધપુરનાં ગીંગણી ગામે ખેડૂત પોતાના બળદો સાથે તણાઇ ગયો હોવાની ઘટના સામે આવી રહી છે. વેણુ નદીમાંથી પસાર થતી વખતે જ આ ઘટના સામે આવી છે. ચોંકવાનારી બાબત છે કે શોધખોળ દરમિયાન એક બળદનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ખેડૂતની શોધખોળ હજુ ચાલુ છે. ખેડૂતનાં પરિવારનાં લોકો પણ આ ઘટના બાદ હેબતાઈ ગયા છે અને તેમની માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે.
અમદાવાદમાં 1 વ્યકિતનું મોત
અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ પડ્યો જેના કારણે સરખેજના વણઝરવાસ પાસે આવેલ ગરનાળામાં એક યુવક ગરકાવ થતા તેનું મોત નિપજ્યું છે. ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. જે યુવક અંડરપાસમાં મૃત્યુ પામ્યો હતો. તેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.
રાજ્યમાં શિયરઝોન થયું સક્રિય
આપને જણાવી દઈકે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જે ગુલાબ વાવાઝોડું ટકરાયું છે તેની અસર ગુજરાતના દરિયા કિનારે પણ જોવા મળશે. ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેમા ગુજરાતને ક્રોસ કર્યા બાદ ગુલાબ વાવાઝોડું ફરી થશે સક્રીય. જેના કારણે રાજ્યમાં 29-30 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે, તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે.