દેશ આજે સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરી રહ્યો છે. દેશના ખૂણે ખૂણે અલગ અલગ કાર્યક્રમોથી થકી દેશવાસીઓ આઝાદીના આ પર્વને મનાવી રહ્યા છે. આ જ ક્રમમાં રાષ્ટ્રપતિ ભવનમા આજે એટ હોમ સેરેમનીનું આયોજન થશે
દેશભરમાં સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ધ્વજ ફરકાવ્યો
રાષ્ટ્રપતિ ભવનમાં આજે એટ હોમ કાર્યક્રમ યોજાશે
ભારતનો સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટે મનાવામાં આવે છે. આજના દિવસે એટલે કે, 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્વ મનાવી રહ્યો છે. ત્યારે આવા સમયે દેશના અલગ અલગ ભાગમાં રાષ્ટ્રીય ધ્વજારોહણ, પરેડ અને સાંસ્કૃતિક નૃત્યો જેવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ભારતના પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ અને તિરંગો ફરકાવ્યો હતો, જે બાદ તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
આઝાદીના 75 વર્ષ પુરા થવા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આજે એટ હોમ પાર્ટીનું આયોજન કરવામા આવશે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી, રક્ષામંત્રી સહિત કેટલાય વીઆઈપી મહેમાનો જેોડાશે.
દેશની સ્વતંત્રતા બાદ જન્મેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
આપને જણાવી દઈએ કે, દ્રૌપદી મુર્મૂ ગત મહિને 25 જૂલાઈના રોજ ભારતના 15માં રાષ્ટ્રપતિ બન્યા હતા. દેશના સર્વૌચ્ચ સંવૈધાનિક પદ પર બિરજમાન મુર્મૂ સૌથી નાની ઉંમરની મહિલા છે અને આદિવાસી સમાજમાંથી આવતા તેઓ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા. દ્રૌપદી મુર્મૂ પહેલા એવા રાષ્ટ્રપતિ છે, જેમનો જન્મ આઝાદ ભારતતમાં થયો હતો.