દેશમાં કોરોના વાયરસ ટોપ ગીયરમાં છે. કોરોના વાયરસનાં કારણે દિલ્હી અને મુંબઈ જેવા શહેરો ત્રસ્ત છે ત્યારે દિલ્હીમાં કોરોના સામે જંગની કમાન પોતે ગૃહમંત્રી અમિત શાહે સંભાળી લીધી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં તાબડતોડ બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આજે દિલ્હીના બધા રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી હતી.
દિલ્હીમાં યોજાઈ ઑલ-પાર્ટી મિટિંગ
કોંગ્રેસ અને આપ નેતાઓ સામેલ
ગઈકાલે જ દિલ્હી માટે લેવાયા હતા મોટા નિર્ણયો
અમિત શાહે કમાન સંભાળી
દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર જોઇને અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા છે. કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે ગઈકાલે દિલ્હીનાં મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ મોટા નિર્ણયો લીધા આજે ફરી ગૃહમંત્રીએ ઓલપાર્ટી મિટિંગ કરી.
Delhi: The all-party meeting chaired by Union Home Minister Amit Shah, over management of COVID-19 situation, is underway at the Ministry of Home Affairs (MHA). pic.twitter.com/3ep7SKKDqk
આ બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી કોંગ્રેસ ચીફ અનીલ કુમાર અને આમ આદમી પાર્ટીના નેતા સંજય કુમાર પણ પહોંચ્યા હતા. આજની બેઠકમાં સામેલ થવા પહેલા કોંગ્રેસ નેતા અનીલ કુમારે કહ્યું હતું કોરોના સામે જંગ જીતવા માટે દિલ્હી માટે શું કરી શકાય તે માટે તે અમિત શાહને સકારાત્મક પ્રતિભાવો આપશે.
કોંગ્રેસે અમિત શાહ સામે કરી માંગણીઓ
આજની બેઠકમાં કોંગ્રેસે અમિત શાહ સામે વિવિધ પ્રકારની માગ કરી હતી. કોંગ્રેસે કહ્યું કે ટેસ્ટિંગ પર બધાનો અધિકાર છે તેથી બધાના ટેસ્ટ થવા જોઈએ. આ સિવાય દિલ્હીમાં કોરોના સામે લડવા માટે મેડિકલ સ્ટાફ વધારવો જોઈએ તથા અને તે માટે જરૂર પડે તો નર્સિંગ અથવા મેડિકલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની મદદ લેવી જોઈએ તથા કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને દસ દસ હજારની આર્થિક મદદ પણ કરવી જોઈ
ગઈકાલે અમિત શાહે તૈયાર કર્યો હતો મહાપ્લાન
નોંધનીય છે કે ગઈકાલે જ અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજયપાલ અનિલ બૈજલ અને અધિકારીઓ સાથે તાબડતોડ બેઠક કરી હતી. આ બેઠકમાં દિલ્હીમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી અને મહામારી સામે લડવા હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા અને માળખાગત સુવિધા આપવા માટે જરૂરી પગલાં માટે ચર્ચા બાદ દિલ્હીમાં કોરોના વાયરસ રોકવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
દિલ્હીમાં કોરોના વાયરસનાં દર્દીઓ માટે પથારી ઓછી ન પડે તે માટે મોદી સરકાર તાત્કાલિક રીતે 500 રેલવે કોચ દિલ્હીને આપવા જઈ રહી છે. આ રેલવે કોચની મદદથી દિલ્હીમાં આઠ હજાર બેડ વધશે. તથા આ કોચ પણ કોરોના સામે લડવા માટે બધી જ સુવિધાઓથી સજ્જ હશે.
દિલ્હીના કન્ટેનમેન્ટ ઝોનમાં ઘરેઘરે જઈને સર્વે હાથ ધરવામાં આવશે. જેની રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. આ સિવાય આ વિસ્તારમાં બધાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવામાં આવશે.
દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે બે દિવસમાં ટેસ્ટિંગને બમણા કરી દેવામાં આવશે અને 6 દિવસમાં આ ટેસ્ટિંગ ત્રણ ગણા થઇ જશે.
કન્ટેનમેન્ટ ઝોનનાં દરેક પોલીસ સ્ટેશનમાં ટેસ્ટિંગની સુવિધા આપવામાં આવશે.
કોરોના વાયરસ માટે દિશા નિર્દેશ આપવા માટે મોદી સરકાર એમ્સમાં ટેલિફોનિક માહિતી આપવા માટે વરિષ્ઠ તબીબોની એક કમિટી બનાવશે. તથા તે માટે ટૂંક સમયમાં જ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે.
દિલ્હીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર આપવા માટે 60% ઓછા રેટ પર બેડ ઉપલબ્ધ કરાવવા અને કોરોનાની સારવાર તથા ટેસ્ટિંગ માટે ડૉ.પોલની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું જે કાલ સુધી પોતાની રિપોર્ટ આપશે.
કોરોના વાયરસનાં કારણે ઘણા દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આવા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે સરકાર નવી ગાઈડલાઈન્સ બહાર પાડશે જેથી અંતિમવિધિમાં વધુ સમય ન લાગે.