બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ 4 વસ્તુઓને ક્યારેય ખાલી ન રાખતા, નહીંતર થઈ જશો કંગાળ!

વાસ્તુ ટિપ્સ / આ 4 વસ્તુઓને ક્યારેય ખાલી ન રાખતા, નહીંતર થઈ જશો કંગાળ!

Nidhi Panchal

Last Updated: 12:53 PM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં ઘરનાં કેટલાક નિશ્ચિત નિયમો આપેલા છે, જેનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ખાસ કરીને કેટલીક વસ્તુઓ ખાલી ન રાખવી એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, ઘરમાં કેટલાક સ્થાનો અને વસ્તુઓ એવી છે જેને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ, નહિતર ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરે છે અને ધનલાભમાં અડચણ આવે છે. જો ઘરના આ વિભાગોને યોગ્ય રીતે જાળવવામાં આવે, તો દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળતા રહે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ સ્થાયી થાય છે.

VASTU-SHASTRA

બાથરૂમ

પહેલું મહત્વનું સ્થાન છે બાથરૂમ. વાસ્તુ અનુસાર બાથરૂમમાં ડોલ ક્યારેય ખાલી ન રાખવી. ડોલ ખાલી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થાય છે અને આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને તૂટેલી કે કાળી ડોલનો ઉપયોગ ન કરવો જોઈએ. આ વસ્તુ ઘરમાં વાસ્તુ દોષ લાવે છે.

vastu-tips

પૂજાનું સ્થાન

બીજું મહત્વપૂર્ણ સ્થાન છે પૂજાનો સ્થળ. અહીં પાણીનો વાસણ ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. પૂજા કર્યા પછી પણ તેમાં પાણી ભરી રાખવું, તેમાં ગંગાજળ અને તુલસીના પાન નાખવાથી શુભ ફળ મળે છે. એવી માન્યતા છે કે ભગવાન તરસ્યા હોય ત્યારે આ પાણી પીવે છે અને તેથી તેઓ પ્રસન્ન રહે છે અને ઘરને આશીર્વાદ આપે છે.

app promo5

તિજોરી

આ ઉપરાંત, પોતાની તિજોરી અને પર્સ પણ ક્યારેય ખાલી ન રાખવા જોઈએ. હંમેશા તેમાં થોડા પૈસા રાખવા જોઈએ. ખાલી તિજોરી કે પર્સ દેવી લક્ષ્મીને અસંતુષ્ટ કરે છે અને પૈસાનો પ્રવાહ અટકી જાય છે.

આ પણ વાંચો : આગામી 4 મહિના આ 5 રાશિના જાતકો માટે ખૂબ જ અદ્ભુત રહેશે, ચાતુર્માસ દરમિયાન શનિ અપાર ધન આપશે!

છેલ્લું અને અત્યંત મહત્વપૂર્ણ છે ઘરમાં અનાજનો સંગ્રહ. ઘરમાં ક્યારેય ખાલી અનાજનો ડબ્બો કે ડ્રમ ન રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જ્યાં અનાજનો અભાવ હોય છે, ત્યાં માતા અન્નપૂર્ણાનો વાસ રહેતો નથી. ઘરમાં અનાજ ભરેલું બોક્સ રાખવાથી ઘરમાં કદી પણ અન્ન અને ધનની તંગી રહેતી નથી. આ તમામ વાસ્તુ ટીપ્સ આપના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિયમિત રીતે આ બાબતોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ બનેલો રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

never keep empty Vastu tips home prosperity
Nidhi Panchal
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ