યુધિષ્ઠિરના રાજતિલકમાં ભગવાન કૃષ્ણ પણ આવ્યા હતા. રાજતિલક પછી ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને રાજ્ય અને ઘરની સુખ-સમૃદ્ઘિ માટે કેટલાક નિયમો જણાવ્યા હતા. આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કેવી ટિપ્સ આપી હતી જેનાથી તમારું ભાગ્ય પણ ખુલી જશે...
મહાભારતમાં કૃષ્ણ-યુધિષ્ઠિર સંવાદમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણએ એમને ઘરમાં મુખ્યરૂપે પાંચ વસ્તુઓ રાખવા માટે કહ્યું જેનાથી ઘરમાં ધન-ધાન્યની ક્યારેય કોઈ કમી નથી થતી અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
ભગવાન યુધિષ્ઠિરને કહ્યું કે સામ્રાજ્યમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા હંમેશા રાખવી જોઈએ. પાણીના અભાવે ક્યારેય કોઈ વ્યક્તિ દુઃખી ન થવો જોઈએ. પૌરાણિક કાળથી જ માનવામાં આવી રહ્યું છે કે કોઈ તરસ્યાને પાણી પીવડાવવાથી મોટું કોઈ પુણ્ય નથી હોતું. માટે ભારતીય સંસ્કૃતિમાં પૂજા દરમિયાન ભગવાન સૂર્યની સાથે તમામ દેવી-દેવતાઓને પણ જળ અર્પિત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. પિતૃને સંતુષ્ટ કરવા માટે તેમને પણ જળ અર્પણ કરવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ પૌરાણિક કથાની યાદ અપાવતા કહ્યું કે જે રીતે હજારો ઝેરીલા સાપ વિંટાયેલા રહેવા છતાં ચંદનની સુગંધ બિલકુલ ઓછી નથી થતી ઠીક એવી રીતે ઘરમાં ગમે તેટલી નકારાત્મક શક્તિ કેમ ન હોય ચંદન રાખવાથી આ તમામ ખરાબ શક્તિઓથી તમારી રક્ષા થાય છે. માટે ઘરમાં પૂજા સ્થળે ચંદન રાખવું જોઈએ.
શાસ્ત્રોમાં ગાયને સૌથી પૂજનીય માનવામાં આવી છે માટે ગાયના દૂધમાંથી બનેલા ઘીથી દરરોજ દિપક પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી તમારા ઘર પર દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. ઉપરાંત આ ઘીના સેવનથી તમારું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેશે.
ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું કે જેવી રીતે માતા સરસ્વતી કાદવમાંથી નીકળેલા કમળ પર બિરાજમાન થયા બાદ પણ સ્વચ્છ રહે છે તેવી રીતે ઘરમાં માતા સરસ્વતીની પૂજા કરનારને માતા નિર્ધનતા અને અનિશ્ચિતતાથી બચાવે છે. આના માટે માતા સરસ્વતીની મૂર્તિકે એમના વાદ્યયંત્ર વીણાને ઘરમાં રાખવી જોઈએ.
યુધિષ્ઠિરને સુખ-સમૃદ્ધિના ઉપાય જણાવતા ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે મધ એક એવો પદાર્થ છે જેનાથી તમારી આત્મા તો શુદ્ધ થાય જ છે સાથે જ મધને ઘરમાં રાખવાથી ત્યાંનું વાતાવરણ પણ સ્વચ્છ થઈ જાય છે. મધમાં એટલી સકારાત્મક શક્તિ હોય છે કે તે તમારા ઘરમાં રહેલ તમામ નકારાત્મક શક્તિઓને નષ્ટ કરી શકે છે.
શ્રીકૃષ્ણ આગળ કહે છે કે મધને હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખવું જોઈએ. પરિવારના તમામ વ્યક્તિઓએ દરરોજ મધનું સેવન કરવું જોઈએ. જે સ્વાસ્થ્ય અને મન બંનેને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે.