રોજની પૂજા-પાઠમાં ક્યાં પ્રકારના નિયમો પાળવા જોઇએ તેના માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. પૂજા કરતી વખતે ક્યા પ્રકારની સાવધાની રાખવી જોઇએ તેનો ઉલ્લેખ પણ આપણા પુરાણોમાં થયેલ છે. ભગવાન વરાહે વરાહપુરાણમાં પૂજાના સમયે ધ્યાનમાં રાખવા જોવી બાબતો જણાવી છે.
આપને જણાવી દઇએ કે પૂજાના સમયે લીલા અને કાળા રંગના કપડાં પહેરવા ના જોઇએ. આ સાથે પૂજા કરવા સાથે જોડાયેલ વ્યક્તિએ પણ આ કલરના કપડાં ના પહેરવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે વરાહ અવતાર ભગવાન વિષ્ણુના 10 અવતાર પૈકીનો ત્રીજો અવતાર છે. આ અવતાર ભગવાને હિરણ્ય નામના રાક્ષસનો વધ કરવા માટે આ લીધો હોવાની વાત આપણા શાસ્ત્રોમાં આલેખાઇ છે.
આ કાર્યો પૂજા કરતી વખતે ક્યારેય ના કરવા જોઇએ..
- કોઇ ગુનો કરીને કમાયેલ ધનથી મારી સેવા ના કરવી જોઇએ જે પૂજા નહીં પરંતુ એક ગુનો છે.
- પૂજા દરમિયાન કાળા અને લીલા કપડાંને શરીર પર ધારણ કરવા ના જોઇએ.
- કોઇ શબનો સ્પર્શ કર્યા બાદ સ્નાન કરીને જ મારી પૂજા કરવી.
- સંભોગ કર્યા બાદ સ્નાન કરીને જ પૂજા કરવી.
- કોઇ વ્યક્તિ ગુસ્સો કરીને મારી ઉપાસના કરે તો તેવી પૂજા પ્રભુને સ્વીકાર્ય રહેતી નથી.
- અંધારામાં ભગવાનની કોઇ તસ્વીરનો અને મૂર્તિનો સ્પર્શ ના કરવો જોઇએ.
- જે લોકો પૂજા કરતા પહેલા અને પૂજા કર્યા પછી નકામી વાતો કરતા રહે છે તેવા લોકોની પૂજાનો ઇશ્વર સ્વીકાર કરતો નથી.
- કોઇ ચીજ વસ્તુ ખાઇને મોં સાફ કર્યા વગર પૂજા કરવી ના જોઇએ.
- દીપકનો સ્પર્શ કરીને હાથ ચોખ્ખા પાણીથી ધોઇને પૂજા કરવી જોઇએ.