ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. વાસ્તુ અનુસાર ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો દરિદ્રતા અને માનસિક ચિંતાઓ સાથે વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ તમામ સમસ્યાઓથી બચવા માટે ઘરની અલગ અલગ જગ્યાઓ માટે વાસ્તુના ઉપાય દર્શાવામાં આવ્યા છે. જેમાંથી એક અસરકારક છે બાથરૂમ સંબંધિત ઉપાયો. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે.
- બાથરૂમમાં એક વાટકીમાં મીઠું ભરીને રાખવાથી વાસ્તુના તમામ દોષ દુર થઈ જાય છે. આ મીઠું દર મહિને બદલી દેવું.
- બાથરૂમમાં કે ઘરના કોઈપણ અન્ય નળ સતત ટપકતાં રહેતાં હોય તો તે ગંભીર વાસ્તુ દોષનો સંકેત હોય શકે છે. તેથી તેને ત્વરીત બંધ કરવા જોઈએ.
- જો બાથરૂમમાં અરીસો હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તે દરવાજાની સામે ન હોય. આ દોષના કારણે ઘરમાં નકારાત્મકતા વધે છે.
- દર 2 3 દિવસે બાથરૂમ સરખી રીતે સાફ કરી લેવું. બાથરૂમ ખરાબ હશે તો તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડશે.
- બાથરૂમ અને રૂમ સમતળ ન રાખવું. એટલે કે બાથરૂમ અને રૂમ વચ્ચે ઉંબરો બનાવી શકાય છે.
- પાણી જવાનો ઢાળ ઉત્તર દિશા તરફ રાખવો. જો શક્ય હોય તો બાથરૂમનો દરવાજો ઘરના નૈઋત્ય ખૂણામાં રાખવો જો ત્યાં શક્ય ન હોય તો વાયવ્ય ખૂણામાં પણ બનાવી શકાય.
- ગિઝર કે અન્ય વિદ્યુત ઉપકરણો અગ્નિ ખૂણામાં રાખવા. આ વસ્તુઓ સાથે બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેન જરૂરથી રાખવો.
- બેડરૂમમાં બાથરૂમ હોય તો ક્યારેય તેનો દરવાજો ખુલ્લો ન રાખવો.