જ્યોતિષ શાસ્ત્રની સલાહથી કેટલાક લોકો હાથમાં રત્નોવાળી વીંટી અથવા બ્રેસલેટ અથવા ગળામાં પેન્ડલમાં રત્નો પહેરે છે. આ રત્નો અલગ અલગ રંગના હોય છે. તેને પહેરવા પાછળ કારણ પણ અલગ હોય છે. તમે ઘણા લોકોના હાથમાં ‘કાચબાવાળી વીંટી’ જોઈ હશે. જાણો આ વીંટી શા માટે પહેરવામાં આવે છે અને તેનાથી શું ફાયદા થાય છે.
- આ વીંટી વાસ્તુતશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. આ વીંટી વ્યકિતના જીવનમાં અનેક દોષોને શાંત કરવાનું કામ કરે છે. આ સાથે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે.
- શાસ્ત્રો અનુસાર કાચબો પાણીમાં રહે છે જે સકારાત્મકતા અને ઉન્નતિનું પ્રતિક ગણવામાં આવે છે. કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર કાચબો સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયો અને સાથ દેવી લક્ષ્મી પણ ત્યાંથી આવી હતી.
- આજ કારણ છે કે વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને વધારે મહત્વ આપવામાં આવ્યુ છે. કાચબાને દેવી લક્ષ્મી સાથે જોડીને ધન લાભ વધારનારો માનવામાં આવે છે. આ ઉપરાંત આ જીવ ધૈર્ય શાંતિ નિરાંત અને સમુદ્ઘિનું પ્રતિક છે.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાચબાવાળી વીંટી સામાન્ય રીતે ચાંદીમાંથી બનેલી હોવી જોઇએ. જો તમે ધાતુનો પ્રયોગ કરવા માંગો છો તો સોનું અથવા કોઇ રત્નને કાચબાના આકારમાં ચાંદીમાં બનાવીને તેની ઉપર સોનાની ડિઝાઇન બનાવી શકો છો.
- જ્યારે પણ આ વીંટી બનાવડાવો ત્યારે એ બાબતનુ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ વીંટી પહેરો ત્યારે કાચબાના માથાના ભાગ પહેરનારા વ્યક્તિના તરફ રહેવો જોઇએ. કાચબાનો મોઢું બહારની તરફ હશે તો ઘન આવવાને બદલે હાથમાં જતુ રહે છે.
- હાથની મધ્યમ અથવા તર્જની આંગણીમાં પહેરવી. કાચબાને માતા લક્ષ્મ સાથે જોડવામાં આવ્યો છે. એટલા માટે કાચબાવાળી વીંટી પહેરવા માટે શુક્રવાર શુભ દિવસે છે. શુક્રવારે આ વીંટીને માતા લક્ષ્મીજીના મૂર્તિ અથવા તસવીરની સામે થોડા સમય માટે મૂકો. પછી તેને દૂધ અને પાણીના મિશ્રણથી સાફ કરો. અંતે અગરબતી કરીને વીંટી પહેરી લો. આ દરમિયાન તમે ઈચ્છો તો મા લક્ષ્મીના બીજ મંત્રનો નિરંતર જાપ પણ કરતા રહો.