કેટલીક વાર જીવનમાં અચાનક કોઇ બહુ જ ગમવા લાગે છે. સૂતા બેસતા જાગતા-ઉઠતા બસ તે જ ગમતા વ્યક્તિનો ચહેરો આપણી નજર સમક્ષ આવે છે અને આપણે ખુશ થઇ જઇએ છીએ. દુઃખ ત્યારે થાય છે જ્યારે સામેવાળી વ્યક્તિ તમારી ભાવના અને લાગણીઓને સમજી નથી શકતી. બાદમાં તમારો પ્રેમ એકતરફી થઇ જાય છે.
મનપસંદ જીવનસાથી મેળવવા અજમાવો ઉપાય
એસ્ટ્રોલોજીની રેમેડી કરશે તમને મદદ
દુર્ગામાતાની કરો સાચા મનથી પૂજા
આ ઉપાયથી મજબૂત સંબંધમાં બદલાઇ જશે એકતરફી પ્રેમ
એક તરફી પ્રેમમાં પોતાની ભાવનાઓ અને પ્રેમનો ઇઝહાર કર્યા બાદ પણ સામેની વ્યક્તિ તમારા પ્રેમને ઠુકરાવી દે છે તો દિલ તૂટી જાય છે. કેટલાક લોકો તો એક તરફી પ્રેમમાં જીવ આપી દેતા હોય છે. જ્યારે અમુક લોકો વર્ષોના વર્ષો આંસુ વહાવતા રહી જાય છે. આ બધુ કરવાની જરૂર નથી કેટલાક જ્યોતિષીય ઉપાય અજમાવવાથી જીંદગીમાં વસંત આવી જશે.
માતા દુર્ગાની પૂજા કરો
જો તમે કોઇ છોકરીને મનથી પ્રેમ કરો છો અને તેને પોતાની જીવનસંગીની બનાવવા માંગો છો તો 51 દિવસ સુધી રોજ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી સ્વચ્છ કપડા પહેરીને માતા દુર્ગાની સામે અગરબત્તી કે દીવો પ્રગટાવો. જે બાદ ‘पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्, तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्’ મંત્રનો જાપ કરો, જેથી ઇચ્છિત જીવનસંગીની મળશે.
સુતા પહેલા ઓમ મંત્રનો જાપ
પોતાના પ્રેમને મેળવવા માટે રોજ રાત્રે સુતા પહેલા ઓમ મંત્રનો સાચા મનથી જાપ કરો, આવું કરવાથી સામેવાળા શખ્સના મનમાં પણ તમારા માટે ભાવના જાગી ઉઠશે.
તાળાનો ટોડકો અપનાવો
જો કોઇ છોકરી પોતાના પસંદગીના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે તો બુધવારના દિવસે રાત્રે ચાવી વગરનું તાળુ લઇને પોતાના માથેથી સાત વાર ઉંધુ કરીને ઉતારી લો અને જોયા વગર જ રસ્તાની બીજી તરફ ફેંકી દો. આવું કરવાથી તમને મનપસંદ સાથી મળશે.
માતા દુર્ગાને ચડાવો શ્રૃંગારની વસ્તુઓ
પોતાના પ્રેમને પામવા માટે માતા દુર્ગાને લાલ ચુનરી સહિત શ્રૃંગારની વસ્તુઓ ચડાવો. સાથે જ માતા દુર્ગા પાસે વિવાહ કરવાની પ્રાર્થના કરો, આવું કરવાથી તમને તમારો જીવનસાથી મળી જશે.