જ્યોતિષ શાસ્ત્ર મુજબ વ્યક્તિના ખાવાનો પ્રભાવ ગ્રહો પર પડે છે. સારું ભોજન સુખી જીવન લાવે છે. સફેદ રંગનો સંબંધ શુક્ર ગ્રહ તો લાલ રંગનો સંબંધ મંગળ સાથે જણાવવામાં આવ્યો છે. જાણો ભોજનથી કેવીરીતે ગ્રહ દોષને દૂર કરી શકાય છે.
ભોજનનો ગ્રહો પર પડે છે પ્રભાવ
જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ
જાણો, ભોજનથી કેવીરીતે ગ્રહ દોષને દૂર કરી શકાશે
ગ્રહ દોષને શાંત કરવા માટે અપનાવો આ આધ્યાત્મિક ઉપાયો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહનો સંબંધ કોઈના કોઈ રંગ સાથે ફરજીયાત હોય છે. કહેવાય છે કે દરેક રંગની શાકભાજીઓ અને ફળોનો આહારમાં સામેલ કરવાથી દરેક ગ્રહનો પ્રભાવ આપણા શરીર પર પડે છે. વ્યક્તિની રાશિમાં જે ગ્રહ નબળો પડે છે, તેના હિસાબે જો ભોજન કરવામાં આવે તો ગ્રહ દોષ શાંત થાય છે અને આરોગ્ય પણ સુધરે છે. આવો જાણીએ ખાવામાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવાથી કકયા ગ્રહને શાંત કરી શકાય છે.
સૂર્ય: જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગ્રહનો સંબંધ નારિયેળ, ખજૂર, કેસર, મોટી ઈલાયચી, ઘઉં અને ગોળ વગેરેથી છે. જો એવામાં કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં છે તો તેમને આ વસ્તુઓને પોતાના ભોજનમાં એડ કરવી જોઈએ.
ચંદ્ર: ચંદ્રને મજબૂત કરવા માટે નારિયેળ, લીચી, શક્કર ટેટી, તરબુચ, લીંબુ, સુંગધિત બાસમતી ચોખા, શેરડી, ખાંડ, દૂધ અને દૂધમાંથી બનાવેલાા પદાર્થ, આઈસ્ક્રીમ અને મિઠાઈઓ વગેરેને એડ કરો.
મંગળ: મંગળનો સંબંધ ગોળ, મસૂરની દાળ, દાડમ, જઉં, લાલ મરચુ, કાળુ મરચુ, જાયફળ, લવિંગ, તીખા મસાલા, સરસોના શાકભાજી, સોયાબીન અને મધ સાથે છે.
બુધ: બુધ ગ્રહને મજબુત કરવા માટે વટાણા, આદુ, પાલક, બથુઆ, મેથી, સિતાફળ, રીંગણ, પાન, શેરડી, લીલી દાળ, મગ, લીલી શાકભાજીઓ વગેરેને ભોજનમાં એડ કરો.
ગુરૂ: કુંડળીમાં ગુરૂ અશુભ ફળ આપે તો ચણા, ચણાની દાળ, બેસન, મકાઈ, કેળુ, હળદર, સિંધા નમક, પીળી દાળ અને ફળોનો સમાવેશ કરવો જોઈએ.
શુક્ર: શુક્ર ગ્રહની સ્થિતિને મજબુત કરવા માટે ફળવાળી વનસ્પતિ, જમીનની અંદર ઉગનારી શાકભાજીઓ, જેમકે બટાકા, ગાજર, ડુંગળી, ત્રિફળા, દાળ ખાંડ, કમલગટ્ટા, મૂળો અને વ્હાઈટ શલજમ સાથે છે.