સારા અને ખરાબ દરેક પ્રકારના કર્મનું ફળ ચોક્કસ ભોગવવું પડે છે. પરંતુ આપણા શાસ્ત્રમાં કેટલાંક ઉપાય સૂચવવામાં આવ્યા છે જેને કારણે જીવનમાં આવતી મુશ્કેલીઓ કે સમસ્યા હળવી થઇ જાય છે. ગમે એટલી મહેનત કર્યા પછી છતાંય તમારે જીવનમાં પૈસાની તંગી રહેતી હોય તો વાંચો શાસ્ત્રમાં કેવા ઉપાયો કહ્યા છે.
- ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે સોના-ચાંદીના થોડા સિક્કા લાલ કપડામાં બાંધીને રાખો. હવે આ વાસણને ઘંઉ કે ચોખાથી ભરીને તેને ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી દો. આમ કરવાથી ઘરમાં પૈસાની અછત નહિ વર્તાય.
- જો તમે ખૂબ મહેનત કરી પૈસા કમાતા હોવ પણ ધન ટકતુ ન હોય તો તમારી તિજોરીમાં લાલ રંગના પાથરી દો. તિજોરીમાં ચણોઠીના બીજ પાથરી દો. આમ કરવાથી પૈસાની બચત થવા માંડશે.
- જો કોઈ વ્યક્તિ ઘણા લાંબા સમયથી બીમાર હોય તો શુક્રવારની રાત્રે એક મુઠ્ઠી કાળા ચણા પલાળી લો. શનિવારે સાંજે તેને લાલ કપડામાં બાંધો. તેમાં એક ખીલ્લી અને કોલસાનો ટુકડો પણ રાખી દો. હવે તેને સાત વાર રોગી પરથી ઉતારીને તળાવ કે કુવામાં ફેંકી દો બિમાર વ્યકિત તરત સાજી થઇ જશે.
- ખીલેલા ગુલાબના પાંચ ફૂલ લો. દોઢ મીટર સફેદ કપડુ લઈ તમારી સામે પાથરી લો. આ પાંચ ફૂલોને 21 વાર ગાયત્રી મંત્ર બોલતા બોલતા બંધ કરી દો. આ કપડાને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી દેવામાંથી ફટાફટ મુક્તિ મળી જશે.
- જો તમારુ બાળક લાંબા સમયથી બીમાર હોય અને તેને ખાવા-પીવાનું પચતુ ન હોય તો એક પાન પર બુંદીનો લાડુ અને પાંચ ગુલાબના ફૂલ રાખીને બાળક પરથી સાત વખત ઉતારી ચૂપચાપ કોઇ મંદિરમાં મૂકી દે આમ કરવાથી બાળકને આરામ મળશે.
- જો તમારા કામમાં કોઈ અડચણ આવતી હોય તો પૂનમના દિવસે ત્રણ ગુલાબ અથવા ચમેલીના ફૂલ સવારે સ્નાન બાદ કોઇ નદીમાં પધરાવી દો. આવું પાંચ પૂનમ સુધી કરવાથી તમારા બધા કામ પાર થઇ જશે.
- જો પરિવારના કોઈ સભ્યને અસાધારણ રોગ થઈ ગયો હોય તો પીડિતની બાજુમાં એક તાંબોનો સિક્કો રાખી દો. પછીના દિવસે સવારે સિક્કાને સ્મશાન ફેંકી દો. આમ કરવાથી દવા અસર કરવાનું શરૂ થશે અને રોગ જલ્દી જ દૂર થઇ જશે.
- જો તમને કોઈ કિન્નર દેખાય તો ઈચ્છાનુસાર કોઈ ભેટ આપો. શક્ય હોય તો ભોજન પણ કરાવો. બાદ તેની પાસે રાકખો સિક્કો માંગી લો. આ સિક્કાને ગલ્લા કેશ બોક્સ અથવા તો પૈસા રાખતા હોય ત્યાં મૂકો. આમ કરવાથી થોડા જ દિવસમાં તમારી બચત અને આવક વધી જશે.