મૃત્યુ જીવનનું અટલ સત્ય છે. આ ઘટના જીવનમાં દરેક લોકોની સામે આવવાની છે. આજ કારણથી મૃત્યુ વિશે વ્યકિતના મનમાં હંમેશા ડર પેસી જાય છે. અવસાનને લઇને મનુષ્યના મનમાં અનેક સવાલો ઉભા થતાં હોય છે. આવો જાણીએ ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવતા તે સંકેત વિશે જ મૃત્યુ નજીક હોવાની સૂચના આપે છે.
- જો અરીસામાં તમારો ચહેરો ન દેખાતો હોય અથવા તો કોઇની આકૃતિ દેખાતી હોય તો સમજી લેવું જોઇએ કે મૃત્યુ નજીક છે.
- જ્યારે વ્યકિતનો પડછાયો દેખાતો બંધ થઇ જાય ત્યારે સમજવું કે મૃત્યુ નજીક છે.
- વ્યકિતને પોતાના શરીરમાં એક અલગ-અજીબ પ્રકારની ગંધ આવવા લાગે છે જે તેણે પહેલા ક્યારેય અનુભવી હોતી નથી. આ ગંધ મૃત્યુગંધ તરીકે ઓળખાય છે.
- જે વ્યકિતનું મોત થવાનું હોય તેને હંમેશા માટે કોઇને કોઇ સાથે રહેવાનો અહેસાસ થાય છે. ખાસ કરીને પોતાનો પૂર્વજો સાથે હોય તેવો અહેસાસ થાય છે.
- જ્યારે કોઇનું અવસાન થવાનું હોય ત્યારે દરેક વસ્તુ બે ભાગમાં તૂટતી અથવા તો વિખરાતી જોવા મળે છે. તેને લાગે છે કે આકાશમાં પિંડમાં 2 ભાગમાં તૂટી જાય છે. જ્યારે વાસ્તવમાં એવું કશું નથી થતું હોતું.
- આપણું નાક બે નસકોરામાં વહેંચાયેલું હોય છે. અનુલોમ-વિલોમ કરતાં સમયે તમે અનુભવ કર્યો હશે કે એક મંદ ચાલે છે અને એક ઝડપી ચાલે છે. એક જ સમયે બન્ને નસકોરાં બરાબર ચાલતાં નથી. જો બન્ને એકસમાન ચાલે તો સમજવું જોઈએ કે મૃત્યું નજીક છે.
- જેમ જેમ મૃત્યું નજીક આવતું જાય તેમ વ્યક્તિને પોતાના નાકનો આગળનો ભાગ દેખાતો બંધ થઈ જાય છે. કારણકે તેની આંખો ઉપર ચડતી જાય છે.
- કુદરતનું પોતાનું એક અનોખું સંગીત છે. જે બ્રહ્માંડનું સૌથી જૂનું સંગીત છે. જેને નાદ કહેવાય છે. જ્યારે આપણે બન્ને કાનને એકસાથે બંધ કરીએ છીએ ત્યારે જે ગુંજારવ આપણને સંભળાય છે. જો તે સંભળાતો બંધ થઈ જાય તો સમજવું જોઈએ કે મૃત્યું નજીક છે.