જ્યોતિષ મુજબ, અન્નનો સંબંધ ગ્રહો સાથે પણ હોય છે. કુંડળીમાં કયા ગ્રહને મજબૂત કરવા માટે કયા અન્નનો ઉપયોગ કરવો જોઈએ. આવો જાણીએ.
અન્નનો સંબંધ પણ ગ્રહો સાથે હોય છે
કુંડળીમાં કયા ગ્રહને મજબૂત કરવા કયા અન્નનો ઉપયોગ કરવો
પૂજા કરવાથી પણ કુંડળીના ગ્રહ થાય છે મજબૂત
જ્યોતિષમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યાં છે, જેના માધ્યમથી કુંડળીના ગ્રહોને મજબૂત કરવા એટલેકે તેની શુભતા વધારવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત રત્ન ધારણ કરવા અને પૂજા કરવાથી પણ કુંડળીના ગ્રહ શુભ અસર નાખે છે.
સૂર્ય ગ્રહ: જ્યોતિષ મુજબ, કુંડળીમાં સૂર્ય ગ્રહની મજબૂતી અને તેની શુભતા વધારવા માટે ગોળ, કેરી, ઘઉંનુ સેવન કરવુ જોઈએ અને તાંબાના પાત્રમાં રાખેલા જળને પીવુ જોઈએ.
ચંદ્ર ગ્રહ: ચંદ્રનો પ્રભાવ મન પર પડે છે. ચંદ્રની શુભતા માટે દૂધ અને દૂધમાંથી બનાવેલા પદાર્થ, શેરડી, ખાંડ, મિઠાઈ અને આઈસ્ક્રીમ વગેરે પદાર્થોનુ સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે. ચાંદીના પાત્રમાં રાખવામાં આવેલા પાણીને પીવાથી કુંડળીનો ચંદ્ર મજબૂત થાય છે.
મંગળ ગ્રહ: કુંડળીમાં મંગળ ગ્રહને મજબૂત કરવા માટે મધ, જઉં, ગોળ અને મસૂરની દાળનુ સેવન કરવુ ઉત્તમ હોય છે. તાંબા અથવા પીતળના પાત્રમાં રાખવામાં આવેલુ પાણી પીવુ લાભદાયક હોય છે.
બુધ ગ્રહ: લીલી દાળ, વટાણા, મગ, લીલી શાકભાજીનુ સેવન અને ચાંદીના વાસણમાં રાખવામાં આવેલુ પાણી પીવાથી કુંડળીનો બુધ મજબૂત થાય છે.