ભારતીય પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા તિથિને વર્ષનું સૌથી શુભ મુહૂર્ત હોય છે. આ મુહૂર્તમાં કરવામાં આવેલું પ્રત્યેક શુભ કામ સફળ અને મંગળદાયક હોય છે. એટલા માટે અક્ષય તૃતીયાએ મોટી સંખ્યામાં લોકો લગ્ન કરે છે.
લૉકડાઉનના કારણે હજારો લોકોને બદલવી પડી લગ્નની તારીખ
26 એપ્રિલે બુધ અને સૂર્યના મેળાપ બાદ ફરીથી પરત ફરશે સુખ-સમૃદ્ધિ
કહેવાય છે આ તિથિએ એ લોકોના લગ્ન થઇ જાય છે, જેની કુંડળીમાં લગ્નનો યોગ બની રહ્યો નથી. આવનારી 26 એપ્રિલે અખાત્રીજ છે, આ તિથિને દિલ્હીમાં જ લગભગ 30 થી 40 હજાર લગ્ન થવાના હતા, જેને લૉકડાઉનના કારણે ટાળવા પડ્યા.
જ્યોતિષ અનુસાર 26 એપ્રિલે અખાત્રીજના દિવસે સવારે 5.45 થી બપોરે 12.19 સુધી વર્ષનું સૌથી સારું મુહૂર્ત છે. લગ્ન ટળવાના કારણે માત્ર એ લોકોનુ નુકસાન થયું છે જેમના લગ્ન થવાના હતા, પરંતુ ઘણા બધાને નુકસાન થયું છે.
અક્ષય તૃતીયા બાદ સ્થિતિમાં સુધારો થવા લાગશે, કોરોનાની અસર પણ ઓછી થવા લાગશે. એમને જણાવ્યું કે 27 ડિસેમ્બરે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ લાગ્યા બાદથી જ હવામાં સૂક્ષ્મ જીવાણું હાવી થવા લાગ્યા હતા. હવે 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 26 એપ્રિલથી બુધ અને સૂર્યનો મેળ થશે. જેનાથી આદિત્ય રોગ બનશે. ત્યાર બાદ સુખ-સમૃદ્ધિ પાછી આવશે.