જે પણ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે, તેના કામ અનેક અવરોધ આવે છે અને થયેલા કામ પણ બગડી જાય છે.
તમામ દોષોમાં અશુભ અને તકલીફ પહોંચાડનારો દોષ ગણાતો કાલસર્પ દોષ
અવરોધ આવે છે અને થયેલા કામ પણ બગડી જાવાની સંભાવના
કુંડળીમાં કાલ સર્પ દોષ હોય છે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે
કાલ સર્પ દોષ જ્યોતિષમાં અશુભ ગણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય છે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલ તમામ પ્રકારના દોષોમાં કાલસર્પ દોષને ખૂબ જ અશુભ અને તકલીફ પહોંચાડનારો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે પણ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે, તેના કામ અનેક અવરોધ આવે છે અને થયેલા કામ પણ બગડી જાય છે. તેના જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. રાહુ અને કેતુ મળીને કોઈપણ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ બનાવે છે. તેવુ જ્યોતિષશાસ્ત્રમાં માણવામાં આવે છે.
કાલસર્પ દોષ એટલે શું?
જ્યારે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવે છે, ત્યારે તેને કાલસર્પ દોષ ગણવામાં આવતો હોવાની માન્યતા છે. હકીકતમાં રાહુ અને કેતુ સિવાય, જ્યારે અન્ય સાત ગ્રહો એક તરફ હોય અને બીજી બાજુ કોઈ અન્ય ગ્રહ ન હોય, ત્યારે આ સ્થિતિને કાલસર્પ યોગ કહેવામાં આવે છે.
કાલસર્પ દોષથી બચવાના ઉપાય
ભગવાન ગણેશની પૂજા કાલસર્પ દોષના ખરાબ પ્રભાવથી રક્ષણ આપે છે. ગણપતિની સાથે મા સરસ્વતીની પૂજા કરવાથી કાલસર્પ દોષ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે. મહાદેવની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો પૂજા કરતી વખતે રુદ્રાક્ષની માળા સાથે રોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. મહાદેવના આ મહામંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવાની માન્યતા જોવા મળે છે.
કાલસર્પ દોષ દૂર કરવા માટે દાન-દક્ષિણા પણ શુભ માનવામાં આવે છે. બુધવારે કાળા કપડા અથવા મગની દાળ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે.જો કાલસર્પ દોષના કારણે તમારા કામમાં વારંવાર અવરોધો આવે છે, તો તેનાથી બચવા માટે કોઈ મંદિરમાં જઈને એક મોટો તાંબાનો સાપ શિવલિંગ પર ચઢાવો. પરંતુ, ધ્યાન રાખો કે શિવલિંગ પર સાપને અર્પણ કર્યા પછી જ તેને ચઢાવવો જોઈએ.
કાલસર્પ દોષના લક્ષણ
કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો જાતકને અનેક પ્રકારના દુ:ખનો સામનો કરવો પડે છે. કાલસર્પ દોષ હોવાથી વ્યક્તિ શારીરીક અને આર્થિક રીતે પરેશાન રહે છે. અમુક જાતકોને આ દોષના કારણે સંતાન સંબંધી દુ:ખ પણ ઉપાડવા પડે છે. એટલેકે ક્યાક સંતાનહીન રહે છે અથવા પછી સંતાન રોગી હોય છે. કાલસર્પ દોષ હોવાથી જાતકની નોકરી પણ વારંવાર છૂટી જાય છે અને તેને ઘણી જગ્યાએથી લોન પણ લેવી પડે છે. કુંડળીમાં કાલસર્પ યોગનુ જ્યોતિષની સલાહ પ્રમાણે નિવારણ કરાવવુ જોઈએ.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.