વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો એવા જણાવવામાં આવ્યા છે જેને જીવનમાં ઉતારવામાં આવે તો તે વ્યકિતને સુખ-સંપત્તિ પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ તુલસીના પવિત્ર છોડના એક પાનના મહત્વ વિશે કેટલીક જાણકારી આપવામાં આવે છે.
તુલસીના પાનને સોમવાર મંગળવાર અને ગુરુવારે તોડવાથી નુકસાન થવાની સંભાવના વધી જાય છે. તમને જણાવી દઇએ કે બુધવાર શુક્રવાર અને શનિવારે રોજ તુલસીના પાનને તોડીને તમારા પર્સમાં રાખવાથી સુખ-સંપત્તિમાં વધારો થાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જે પર્સમાં તુલસીનું પાન રાખવાનું વિચારતા હોવ તેનો કલર કાળો હોવો જરૂરી છે.
વહેલી સવારે ઉઠીને દૈનિક કાર્યને પૂર્ણ કરીને ભગવાનનું નામ 108 વખત સ્મરણ કરીને તુલસીના પાનને તોડીને જે ખાનામાં તમે પૈસા રાખતા હોવ તો તેમાં આ તુલસીના પાનને રાખવું.
ઉલ્લેખનીય છે કે તુલસીનું પાન હાથમાં રાખી મુઠ્ઠી બંધ રાખવી અને રામનામનું સ્મરણ 11 21 અથવા 108 જાપ કરવાથી ફાયદો થાય છે. આ કાર્ય કરતી વખતે તમને છીંક આવે કે માછલી કે ગરોળી જોવા મળે તો તેને શુભકારી માનવામાં આવે છે. આ પાનને નોટની વચ્ચે રાખો અને થોડા દિવસ પછી કમાલ જોઇ શકશો.