દરેક માણસની આજે પ્રાથમિક જરૂરિયા 'રોટી કપડાં અને મકાન' સિવાય ધન છે. દરેક વ્યકિત ઇચ્છે છે કે તેની પાસે અપાર ધન હોય. ધનની પ્રાપ્તિ કરવા વ્યકિત શું શું નથી કરતો પરંતુ આખો દિવસ મહેનત કર્યા પછી પણ મનગમતું પરિણામ મળતુ નથી ત્યારે તે નિરાશ થઇ જાય છે. જોકે આજે અમે તમને એક એવો પ્રયોગ કહેવા જઇ રહ્યા છીએ જે કરવો ખૂબ જ સરળ છે અને તેના પરિણામથી તમે માલામાલ થઇ જશો.
કબૂતર એક એવુ પક્ષી છે જે મનુષ્યની જેમ હજારો વર્ષોથી પોતાની અસ્તિત્વ ટકાવી રાખતુ આવ્યુ છે. આપણે ત્યાં તો કબૂતરને દાણા નાખવા એક પુણ્યનું કામ છે. ત્યારે આ જ કબૂતર તમારા ઘરમાં પૈસાની તંગી દૂર કરવા માટે મદદરૂપ બની શકે છે.
તમારી આર્થિક સમસ્યાના નિવારણ માટે તેમજ પરિવારની સાથે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જો તમે કબૂતરના પીંછાને સફેદ કપડામાં રાખીને લાલ દોરીથી બાંધી દો અને ત્યારપછી જ્યાં પૈસા રાખતા હોય તે સ્થાન પર મૂકી દો આ ઉપાય કરવાની સાથે જ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જશે.
શાસ્ત્રમાં કહ્યુ છે કે કબૂતરના પીંછાના પ્રયોગથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે. તેમજ તમારા બધા જ અટકેલા કાર્યો પૂરા થાય છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે અને દરેક કાર્યોમાં સફળતા મળે છે.