વ્યકિતને જીવનમાં ક્યાંકને ક્યાંક ક્યારેક રસ્તા પરથી પૈસા તો મળ્યા જ હશે ક્યારેક કોઇને સિક્કો મળી જા છે તો ક્યારેક કોઇન નોટ. જો તમને સિક્કો કે નોટ મળે તેનાથી કંઇ વધારે ફરક નથી પડતો કેમકે ગમે તેમ તોય એ બંને છે તો લક્ષ્મીનુ જ પ્રતિક ને ? પરંતુ આ બંને મળે તો તેનાથી તમારા આવનારા ભવિષ્યમાં વધારે ફરક જોવા મળતો હોય છે.
તો ચાલો જાણીએ જો સિક્કો મળે તો શું ફેરફાર આવે છે જીવનમાં :
જો ક્યારેય તમને રસ્તા પર જતાં હોય ત્યારે અચાનકથી જો સિક્કો મળે છે તો તમને સંકેત મળ છે તમે તમારા જીવનમાં ચાલતી તકલીફોમાં તમે એકલા સામનો કરવામાં નથી. ભલે તમે એકલા છો પણ તમારી સાથે ઘણી અદૃશ્ય શક્તિઓ રહેલી છે. જેનાથી આ તકલીફમાંથી તમે બહુ જલ્દી બહાર નીકળી શકશો ને તમારા જીવનમાં સ્થિરતા આવશે.
સિક્કાને માનવમાં આવે છે શક્તિની દેન :
સિક્કો એ કોઈપણ એક ધાતુનો બનેલો હોય છે જે વર્ષોના વર્ષો સુધી એવો ને એવો જ રહે છે અને તે એક નહી પણ ઘણા હાથોને સ્પર્શ કરીને તમારા સુધી આવેલો હોય છે. એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ સિક્કાને હાથમાં લે છે તેના શરીરની કેટલીક ઉર્જા સિક્કામાં જ રહી જતી હોય છે. આમ ને આમ સમય જતાં સિક્કામાં અઢળક શક્તિની ઉર્જા આવી જાય છે માટે જ સિક્કાને યુગો યુગોથી શક્તિની દેન માનવામાં આવે છે.ઘણા ઘરોમાં તો સિકકાની પૂજા પણ કરવામાં આવે છે કેમકે તેને પૂર્વજોના આશીર્વાદરૂપ માનવમાં આવે છે અને એટલે જ લોકો વાર તહેવારે ચાંદીના અને સોનાના સિક્કાની ખરીદી કરે છે ને તેની પૂજા કરવામાં આવે છે.
શુભ સમયનો સંકેત આપે છે સિક્કો :
તમે તમારા જીવનમાં જો નવુ કામ કરવા માટે વિચારી રહ્યા હોય અને તમને જો રસ્તા પરથી સિક્કો મળે તો તો આ સંકેત ભગવાન તરફથી મળેલો માનવામાં આવે છે. વિચારીને રાખેલા કામ ચોક્કથી પૂરા કરો અને કેમકે આ કામ કરીને આર્થિક લાભ થવાની સાથે શાંતિ પણ મળશે..
તો ચાલો જાણીએ જો નોટ મળે તો શું ફેરફાર આવે છે જીવનમાં :
જો તમે રસ્તા પરથી કે બીજે ક્યાયથી નોટ મળે તો તમારે તમારા કામમાં એકદમ ઝીણવટભર્યું કરવું પડશે. કામની બાબતમાં ક્યારેય કોઈ વિશ્વાસ કરવો જોઈએ નહી. કોઈએ કરેલ કામની પણ ચકાસણી કરીને જ આગળ વધવું જોઈએ.
ક્યારેય સંજોગો ગમે તેવા આવે પણ કુદરત પર અને પોતાના પર શ્રદ્ધા રાખીને આગળ વધશો તો સફળતા જ સફળતા મળશે.
સવારે મળેલ પૈસાનું મહત્વ :
એમાંય જો સવારના સમયમાં જ પૈસા મળે તો તે જીવનનો સારો સગુણ છે. આવનારો સમય બધી રીતે તમારો સમય બનીને આવશે માટે એ પૈસાની પૂજા કરવી જોઈએ.