બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ન્હાયા પછી ક્યારેય ન કરવા જોઈએ આ કામ, શાસ્ત્રોમાં માનવામાં આવે છે વર્જિત

ધ્યાનમાં રાખો / ન્હાયા પછી ક્યારેય ન કરવા જોઈએ આ કામ, શાસ્ત્રોમાં માનવામાં આવે છે વર્જિત

Last Updated: 05:01 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે ન્હાયા પછી કે ન્હાવા દરમિયાન કેટલાક એવા કામો કરતા હોઈએ છીએ કે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ન્હાયા પછી શું ન કરવું જોઈએ.

આપણા શાસ્ત્રોમાં આપણા રોજિંદા જીવનને લગતી ઘણી બધી વાતો લખવામાં આવી છે, ઘણા કામો કોઈ કારણોસર લખવામાં આવ્યા છે. આ કામોને યોગ્ય રીતે કરવાની આપણી ફરજ છે. આપણે જયારે આ કામો યોગ્ય રીતે નથી કરતા ત્યારે એના પરિણામો પણ આપણે ભોગવવા પડે છે. ત્યારે આજે વાત કરી આપણે ન્હાયા બાદ તરત જે ભૂલો કરીએ છીએ એના વિશે. એવા કયા-કયા કામો છે કે જે ન્હાયા બાદ આપણે કરીએ છીએ, જે ન કરવા જોઈએ.

  • સૌથી પહેલી જે વાત ધ્યાનમાં રાખવી જોઈએ એ છે કે ન્હાયા પછી ડોલને ઉંધી કરીને ન મુકવી. એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં આવનારી લક્ષ્મી રિસાઈ જાય છે અને ઘરમાં ધનહાનિ થાય છે.
  • આ પછી એ વાત ધ્યાનમાં રાખો કે ન્હાયા પછી ડોલમાં પાણી ન રહેવા દો. જો એ પાણીથી ઘરની બીજી કોઈ વ્યક્તિ ન્હાય છે તો એ અશુદ્ધ માનવામાં આવે છે. સાથે જ એવી માન્યતા છે કે એ પાણીથી જે વ્યક્તિ ન્હાય છે એનું આયુષ્ય ઘટી જાય છે.
bath 2
  • ભીના કપડાં બાથરૂમમાં ન મૂકી રાખો. તેને કપડાં ધોવાની જગ્યા પર મૂકી દો અથવા એક ડોલમાં ભરીને રાખો. ભીના કપડાને ગમે તેમ મૂકીને ન નીકળો.
  • ન્હાતી વખતે ચપ્પલ ન પહેરી રાખો. જો ચપ્પલ પહેરીને ન્હાયા હોવ તો ન્હાયા બાદ પગ પર પાણી ન નાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનહાનિ થાય છે.
  • શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે ન્હાતા સમયે ભગવાનના મંત્રોચ્ચાર કરવા જોઈએ અથવા કઈંક ગણગણતા રહેવું જોઈએ. શાંત ન રહેવું, એ પાપ માનવામાં આવે છે. એટલે જ બાથરૂમમાં કંઈક પણ ગણગણતા રહેવું જોઈએ.
  • બાથરૂમમાં બેસીને કે ન્હાયા પછી તરત નખ ન કાપવા જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને ધનહાનિ પણ થઈ શકે છે.

વધુ વાંચો: મહિલાઓ પૂજા દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો ભગવાન થશે નારાજ, જાણો નિયમો

  • ન્હાયા પછી ભીના કપડાથી ક્યારેય શરીર ન સાફ કરવું, આમ કરવું પણ અશુભ માનવામાં આવે છે. એટલે જ ન્હાયા પછી હંમેશા ચોખ્ખા અને સૂકા વસ્ત્રથી જ શરીર સાફ કરવું જોઈએ.
  • મહિલાઓએ ન્હાયા પછી તરત સિંદૂર ન લગાવવું, માન્યતા છે કે ન્હાયા પછી તરત સિંદૂર લગાવવાથી પતિની ઉમર ઓછી થાય છે. મોઢામાં કંઈક નાખ્યા પછી જ સિંદૂર લગાવવું, ખાલી પેટે નહીં.
  • સાથે જ ન્હાયા પછી તરત જ ગેસ કે ચૂલો ન સળગાવવો જોઈએ, ન્હાયા પછી તરત અગ્નિનો સ્પર્શ કરવો વર્જિત માનવામાં આવે છે. પહેલા કંઈક ખાઈ-પી લેવું અને પછી જ ગેસ કે ચૂલો સળગાવવો.

સંકળાયેલા મુદ્દાઓ

Bath Dharma Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ