બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અક્ષય તૃતીયા પર સોનું નથી ખરીદી શકતા, તો ઘરે લાવો આ વસ્તુઓ, ધન-સંપત્તિમાં થશે વધારો

ધર્મ / અક્ષય તૃતીયા પર સોનું નથી ખરીદી શકતા, તો ઘરે લાવો આ વસ્તુઓ, ધન-સંપત્તિમાં થશે વધારો

Last Updated: 11:39 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshaya Tritiya 2025: સોનાની ખરીદી માટે અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તમે સોનું ખરીદવામાં સક્ષમ નથી તો આ ચીજોને પણ ખરીદી શકો છો.

આગામી 30 એપ્રિલ બુધવારના રોજ અક્ષય તૃતીયા છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજે આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ સ્થિતિમાં ખરીદી વધુ શુભ માનવામાં આવે  છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી લક્ષ્મી માતાનો આશીર્વાદ રહે છે પરંતુ સોનું ખરીદવું દરેકના બજેટમાં હોતું નથી, આ સ્થિતિમાં અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાને બદલે, તમે બીજી વસ્તુઓ ખરીદી શકો છો, આ ખરીદવાથી પણ પુણ્ય મળે છે. આવો જાણીએ તે વસ્તુઓ વિશે.

Maa Laxmi ae

માટીનો ઘડો

અક્ષય તૃતીયાના દિવસે માટી ખરીદવી એ સોનું ખરીદવા જેટલું જ મહત્વનું માનવામાં આવે છે. જો તમે સોનું કે ચાંદી ખરીદી શકતા ન હોવ તો તમે ઘરે માટીનો ઘડો કે દીવો લાવી શકો છો. આમ કરવાથી તમારા ધન-સંપત્તિમાં વધારો થાય છે અને લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે છે.

જવ

અક્ષય તૃતીયા પર જવ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સોનું અને ચાંદી ખરીદવા જેટલું જ શુભ છે. એવી માન્યતા છે કે જવ ઘરે લાવવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. જવ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.

કૌડી

અક્ષય તૃતીયા પર વાસણ કે કૌડીઓ ખરીદવી શુભ રહે છે. માતા લક્ષ્મીને કૌડી ખૂબ ગમે છે કારણ કે લક્ષ્મી માતાની જેમ કૌડી પણ સમુદ્રમાંથી ઉદ્ભવી છે. તેને ખરીદીને લક્ષ્મી માતાના ચરણોમાં મૂકવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

પીતળ

અક્ષય તૃતીયાના દિવસે પીતળના વાસણ ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. પીતળના વાસણ ઘરે લાવવામાં મા લક્ષ્મીની અપાર કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી થતી.  

વધુ વાંચો: આ ખરાબ આદત હોય તો આજે જ છોડી દેજો, નહીંતર થઈ શકો કેન્સરના દર્દી

ચાંદી

ત્યારે જો તમે અક્ષય તૃતીયા પર સોનું નથી ખરીદી શકતા તો ચાંદી પણ ખરીદી શકો છો. સોનાની જેમ આ દિવસે ચાંદી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. જો અક્ષય તૃતીયાના દિવસે ચાંદીનો સિક્કો કે કોઈ ચાંદીનો સામાન ખરીદી શકો છો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Tritiya Dharma Maa Laxmi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ