બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:39 PM, 24 April 2025
આગામી 30 એપ્રિલ બુધવારના રોજ અક્ષય તૃતીયા છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજે આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ સ્થિતિમાં ખરીદી વધુ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી લક્ષ્મી માતાનો આશીર્વાદ રહે છે પરંતુ સોનું ખરીદવું દરેકના બજેટમાં હોતું નથી, આ સ્થિતિમાં અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાને બદલે, તમે બીજી વસ્તુઓ ખરીદી શકો છો, આ ખરીદવાથી પણ પુણ્ય મળે છે. આવો જાણીએ તે વસ્તુઓ વિશે.
ADVERTISEMENT
માટીનો ઘડો
ADVERTISEMENT
અક્ષય તૃતીયાના દિવસે માટી ખરીદવી એ સોનું ખરીદવા જેટલું જ મહત્વનું માનવામાં આવે છે. જો તમે સોનું કે ચાંદી ખરીદી શકતા ન હોવ તો તમે ઘરે માટીનો ઘડો કે દીવો લાવી શકો છો. આમ કરવાથી તમારા ધન-સંપત્તિમાં વધારો થાય છે અને લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે છે.
જવ
અક્ષય તૃતીયા પર જવ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સોનું અને ચાંદી ખરીદવા જેટલું જ શુભ છે. એવી માન્યતા છે કે જવ ઘરે લાવવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. જવ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.
કૌડી
અક્ષય તૃતીયા પર વાસણ કે કૌડીઓ ખરીદવી શુભ રહે છે. માતા લક્ષ્મીને કૌડી ખૂબ ગમે છે કારણ કે લક્ષ્મી માતાની જેમ કૌડી પણ સમુદ્રમાંથી ઉદ્ભવી છે. તેને ખરીદીને લક્ષ્મી માતાના ચરણોમાં મૂકવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
પીતળ
અક્ષય તૃતીયાના દિવસે પીતળના વાસણ ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. પીતળના વાસણ ઘરે લાવવામાં મા લક્ષ્મીની અપાર કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી થતી.
વધુ વાંચો: આ ખરાબ આદત હોય તો આજે જ છોડી દેજો, નહીંતર થઈ શકો કેન્સરના દર્દી
ચાંદી
ત્યારે જો તમે અક્ષય તૃતીયા પર સોનું નથી ખરીદી શકતા તો ચાંદી પણ ખરીદી શકો છો. સોનાની જેમ આ દિવસે ચાંદી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. જો અક્ષય તૃતીયાના દિવસે ચાંદીનો સિક્કો કે કોઈ ચાંદીનો સામાન ખરીદી શકો છો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.