ક્રિકેટમાં જ્યોતિષની મદદથી પોતાની સટીક ભવિષ્યવાણી માટે ચર્ચામાં રહેનારા નરેન્દ્ર બુંદે અનુસાર વિરાટ કોહલીને કેપ્ટન્સીમાં ભારતીય ટીમ વિદેશી ધરતી પર જીત મેળવીને ઇતિહાસ નોંઘશે. આ સાથે જ તેમણે કહ્યુ કે વિરાટ ટૂંક સમયમાં જ એક મોટી એન્ડોર્સમેન્ટ ડીલ કરશે. જે ભારતીય રમતના ઇતિહાસમાં નોંધાશે.
નાગપુરના નરેન્દ્ર આ પહેલા સચિન તેંડુલકરની ટેનિસ એલ્બો ઇજા પછી વાપસી અને ભારત રત્ન મળવા પર સચોટ ભવિષ્યવાણી કરી હતી. તેમણે સૌરવ ગાંગુલીની વાપસી અને ભારતીય ટીમને 2011માં વર્લ્ડ કપ જીતવાની ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઇ હતી.
તેમણે કેટલાક સમય પહેલા કહ્યુ હતુ કે 36 વર્ષીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇંગ્લેન્ડ 2019માં થતાં વર્લ્ડ કપમાં ટીમનો ભાગ રહેશે. કોહલીને એવો કરાર મળવાનો છે. જેવો માર્ક મેસ્કરહાન્સે સચિન તેંડૂલકર સાથે કર્યો હતો. આ કરાર તેનાથી પણ મોટો થવાનો છે. કોહલીનો શુક્ર ગ્રહ ખૂબ જ મજબૂત છે. આથી તે વિદેશમાં સારૂ પ્રદર્શન કરશે.
ભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકાની ટૂર પર છે. આ વર્ષે ટીમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટૂર પર પણ જશે. બુંદેએ જણાવ્યું હતું કે ''મારો મતલબ છે કે હવે ટીમને એટલા પણ ખરાબ પરિણામ નહીં મળે. કોહલીના ગ્રહોની સ્થિતિ મુજબ ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સકારાત્મક પરિણામ મળવાની શક્યતા છે.''