જ્યોતિષના જણાવ્યા મુજબ આ વખતે 25 મેના રોજ રહિણીની શરૂઆત થઇ રહી છે. આ વખતે રોહિણી દરમિયાન મંગળ અને કેતુનો સંયોગ પ્રાકૃતિક આપદાઓની સ્થિતી બનાવશે. આ ભીષણ ગરમી સિવાય વરસાદનો પણ સંયોગ બની રહ્યો છે.આ ખાસ યોગને કારણે કેટલીક રાશિઓ પર ખરાબ અસર પડવાની શક્યતા પણ રહેલી છે.
આંધી-તોફાન અને સખત ગરમીથી થઇ શકે છે નુકસાન
ઉજ્જૈનના જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે 1 મેથી મંગળ અને કેતુ મકર રાશિમાં સાથે જોવા મળશે.જે 6 નવેમ્બર સુધી રહેશે. મંગળ અને કેતુ એક જ રાશિમાં હોવાથી અંગારક યોગ બની રહ્યો છે. આ યોગના કારણે 20 મેથી 8 જૂન સુધી ભીષણ ગરમી આંધી-તોફાન સિવાય તેજ હવા કોઇ દુર્ઘટના અને રાજનૈતિક ઉથલ-પાથલની સ્થિતી બની શકે છે.
મંગળ-રાહુ બનાવી રહ્યો છે અંગારક યોગ
ઉલ્લેખીનીય છે કે ઉજ્જૈનના જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મંગળ નો ધનુ પ્રવેશ અને મંગળની રાહુની દ્રષ્ટિનો સંબધ બનાવી રહ્યો છે. જેના કારણે અંગારક યોગનું નિર્માણ થાય છે. અંગારક યોગના કારણે મિથુન કર્ક મકર રાશિ એક સાથે છે તેના કારણે થોડું કાળજીપૂર્વક રહેવાની સુચના આપવામાં આવે છે. અંગારક યોગના કારણે આ રાશિ વાળા લોકોની મુશ્કેલી વધી શકે છે.અથવા કોઇ પ્રકારનું નુકસાન પણ થઇ શકે છે. આ સિવાય મેષ કન્યા અને મકર રાશિવાળાઓ માટે આ સમય થોડો ઠીક-ઠાક રહેશે.