એવી માન્યતાઓ છે કે આપણા ભગવાનના શરીર પર કેટલાંક ખાસ નિશાન છે, જેને ખૂબ શુભ સમજવામાં આવે છે. કહેવાય છે કે આ પ્રકારના નિશાન જો કોઈ મનુષ્યના શરીર પર હોય તો તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી અને ખુશ વ્યક્તિ હોઇ શકે છે.
શું તમારા શરીર પર છે આવા નિશાન?
આ નિશાનને શરીર પર શુભ માનવામાં આવે છે
તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી અને ખુશ વ્યક્તિ છો
શરીરમાં છે આવા નિશાન તો તમે છો ભાગ્યશાળી
ભગવાન વિષ્ણુએ સમય પ્રમાણે અવતાર લઇને પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરવાની સાથે ધર્મ અને માનવતાની રક્ષા કરી છે. ત્રેતાયુગમાં રામ હોય કે દ્વાપરમાં શ્રીકૃષ્ણ બંનેએ પોતાની માતા અને અનન્ય ભક્તોને વિરાટ રૂપના દર્શન આપ્યા અને અંત સમયમાં મોક્ષ પ્રદાન કર્યો. ભક્તવત્સલ ભગવાન સાચા ભક્તોની હાકલ પર દોડીને આવે છે. શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્યના રૂપ-રંગ અને આકાર જેવી કલ્પના કરે છે, એ જ રૂપમાં તેમની પૂજાનો સ્વીકાર કરીને ભવસાગર પાર કરાવી દે છે. જે રીતે માણસના શરીરમાં કેટલાંક નિશાન એટલેકે બર્થ માર્ક હોય છે. એ જ રીતે ભગવાનના શરીર પર કેટલાંક નિશાન હોય છે. જેને અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જો આવા નિશાન કોઈ માણસના શરીર પર હોય તો તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી અને ખુશ માણસ હોઇ શકે છે.
તમારા શરીરમાં છે આવા નિશાન તો તમે પણ છો ભાગ્યશાળી
શંખ
સનાતન માન્યતાઓની વાત કરીએ તો કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણના પગના તળીયે એક શંખ જેવુ નિશાન હતુ. શંખ એટલેકે એવી સકારાત્મકતા જેના અવાજથી અંતરાત્મા અને ચેતના જાગૃત થાય છે. એવામાં શરીર પર શંખ જેવુ નિશાન હોવાથી તેને જીવનમાં સુખ-શાંતિ અને સફળતાનુ પ્રતિક સમજવામાં આવે છે.
અર્ધ ચંદ્ર
એવુ પણ કહેવામાં આવે છે કે કૃષ્ણના પગના તળીયે અર્ધ ચંદ્રનુ નિશાન હતુ. એવુ કહેવાય છે કે જે લોકોના શરીર પર આ અર્ધ ચંદ્ર હોય છે, એવા લોકો પોતાની કારકિર્દી અથવા વ્યવસાયના ઉચ્ચ શિખરને અડે છે.
ત્રિભુજ
જો કોઈ માણસના પગ પર ત્રિભુજનું નિશાન હોય તો આવા લોકોના જીવનમાં મુલાકાત રસપ્રદ માણસો સાથે થાય છે. શરીર પર ત્રિભુજનુ નિશાન હોવાનો અર્થ છે કે ભવિષ્યમાં આ શખ્સ ખૂબ અમીર થવાનો છે. આવા લોકો સ્પષ્ટ અને કાર્યક્ષમ વક્તા એટલેકે છટાદાર હોવાની સાથે જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે.
ધનુષ-બાણ
આ રીતે પગ પર તીર-કમાન જેવા નિશાન પણ ખૂબ શુભ સમજવામાં આવે છે. આવા લોકો જીવનમાં ખૂબ સંઘર્ષ કરે છે અને જીત પ્રાપ્ત કરે છે. આ નિશાન જો શરીરના નીચેના ભાગમાં હોય તો આવા લોકો મોટી સિદ્ધીઓ પ્રાપ્ત કરે છે.