ધન પ્રાપ્તિ કરવાની ઇચ્છા કોણે નથી હોતી દરેક વ્યકિત ઇચ્છે છે કે તેની પાસે અપાર ધન-સંપત્તિ હોય. પરંતુ ઘણી વખત અથાક મેહનત કરવા છતા સફળતા મળતી નથી. જ્યારે પ્રયાસ ખત્મ થઇ જાય છે ત્યારે ઘણી વખત ઉપાય કામ આવે છે.ધન કમાવવાના અનેક ઉપાયો પ્રચલિત છે. પરંતુ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કોઈ એક સચોટ ઉપાય હોય જે તમના દ્વારા કરી શકાય. અમે તમને 12 એવા ઉપાય જણાવી રહ્યા છીએ જે તારી ઈચ્છા પૂરી કરી શકે છે. તમે તમારી સગવડતા મુજબ કોઈ પણ અપનાવી શકો છો. તે ઉપાયનું નિયમિત પાલન કરવું.
- દરરોજ શિવલિંગ પર જળ બીલીપત્ર અને ચોખા ચઢાવો.
- મહાલક્ષ્મી અને શ્રીવિષ્ણુની પૂજા કરો.
- સપ્તાહનું કોઈ પણ એક વ્રત કરો. સોમવાર કરશો તો ધનના કારક ચંદ્ર પ્રસન્ન થશે. મંગળ કરશો તો હનુમાનજી બુધ કરશો તો ગણેશજી ગુરુ કરશો તો વિષ્ણુ શુક્ર કરશો તો માતા લક્ષ્મી શનિ કરશો તો શનિદેવ અને રવિવાર કરશો તો સૂર્યદેવ પ્રસન્ન થઈને ધન સુખ-સૌભાગ્યનો વરદાન આપશે.
- અનામિકા આંગળીમાં સોના-ચાંદી અને તાંબાથી બનેલી વીટી પહેલો.