ઘરમાં ઘણી નાની-નાની ઘટનાઓ આપણને આવનાર સમયનાં સંકેત આપે છે. આ સંકેતોને સમણે આપણને ભવિષ્યમાં થનાર ઘણી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. જ્યોતિષ અનુસાર જ્યારે ગરીબી વધવાની શક્યતા હોય છે ત્યારે ઘરમાં ઘટતી નાની-નાની ઘટાનાઓ દ્વારા સંકેતો મળવા લાગે છે. ઉજૈનના જ્યોતિષાચાર્ય પં. વિશાલ દયાનંદ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર આ સંકેતો છે ગરીબી વધારનારાં....
પાણી ટપકવું:
જો તમારા ઘરમાં કોઇ પણ નળ અથવા તો ટાંકીમાંથી પાણી ટપકતું હોય તો તેનો મતલબ એમ છે કે નજીકના ભવિષ્યમાં વધુ ખર્ચ થઇ શકે છે. ધ્યાન રાખવું જોઇએ કે નળ હંમેશા બંધ રાખવા અને ટપકે તો રિપેર કરાવવી લેવા જોઇએ. જ્યારે પાણી પીવું હોય ત્યારે ગ્લાસમાં જરૂર હોય એટલું જ પાણી ભરો.
ઝાડ-છોડનાં પાન સૂકાવાં:
ઘરમાં ઉગાડેલ ઝાડ કે છોડનાં પાન સૂકાવવા લાગે તો તેણે તરત જ કાપી લેવા જોઇએ. છોડ હંમેશા હર્યાભર્યા જ રાખવા. સૂકાં પત્તાં હોય તો બુધ ગ્રહ ખરાબ થાય છે અને દેવું વધે છે.
પૂજા અને સજાવટનાં ફૂલ:
ઘરની સજાવટ માટે અને પૂજા માટે નકલી ફૂલોનો ઉપયોગ ન કરવો જોઇએ. ઘરમાં પ્રાકૃતિક ફૂલ જ રાખવાં. પૂજાની માળા સૂકાઇ જાય તો તરત જ તેણે નદીમાં વહાવી દેવી.
ઇલેક્ટ્રિક સામાન:
ઘરમાં ક્યારેય બગડી ગયેલ ઇલેક્ટ્રિક વસ્તુ ન રાખવી. બગડી હોય તો તરત જ રિપેર કરાવી લેવી કે નિકાલ કરી દેવો. તેનાથી રાહુ પ્રબળ બને છે અને નકારાત્મક ઉર્જા વધે છે.
બિલાડીનો પ્રવેશ:
જે ઘરમાં બિલાડી વારંવાર આવે કે આવીને રડે છે તો તે ઘરમાં ઝઘડાઓની સમસ્યા વધે અને ધનના આગમાન અટકી પડે છે.