ખગોળશાસ્ત્રીઓના અનુસાર 27 મી જુલાઇએ 21મી સદીનો સૌથી લાંબું ખગોળીય ચંદ્ર ગ્રહણ છે અને આ ગ્રહણ પર જ્યોતિષશાસ્ત્રની ભવિષ્યવાણી તમને ચિંતામાં મૂકી દે તેવી છે.
જ્યોતિષોનું કહેવું છે કે અષાઢ પૂર્ણિમા પર 27 જુલાઈએ 21મી સદીની સૌથી લાબું ચંદ્ર ગ્રહણ થશે. તે ચંદ્ર ગ્રહણ શરૂ થશે અને તેના અંત સુધી લગભગ 4 કલાક ચાલશે. ખગોળ વૈજ્ઞાનિક માને છે કે તે 21 મી સદીની સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ રહેશે. જે સમગ્ર દેશમાં જોઈ શકાશે. 104 વર્ષ પછી આ સંયોગ બનશે.
ગ્રહણ જુલાઈ 27ની મધ્ય રાત્રિએ 11.00 45 મિનિટે થશે અને તેના મોક્ષ કાળનો અંત 28 જુલાઈ સવારે 2 વાગ્યે 45 મિનિટે પૂરો થશે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્રહણના પ્રભાવની અસરથી ધરતીકંપો સુનામી ચક્રવાત જ્વાળામુખી વિસ્ફટક નીકળવા અને આગજીનની ઘટનાઓ બની શકે છે.
તમને જણાવી દઇએ કે 26 જુલાઇ 1953 ના રોજ સૌથી લાંબું ચંદ્રગ્રહણ થયું હતું. તે સમય દરમિયાન ગ્રીસમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો. તે વીસમી સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ હતું. તે ચંદ્ર ગ્રહણ ભારત બાંગ્લાદેશ મ્યાનમાર ચાઇના તાઇવાન અમેરિકા હવાઈ દ્વીપ મેક્સિકો બહામાસ મટ્ટાનિયા માલી અલ્જિરિયા નાઇજર લિબિયા ચાડ ઇજિપ્ત સાઉદી અરેબિયા યુએઇ અને ઓમાન દેશમાં 27 મી જુલાઈના રોજ ખરાબ અસરો થઈ હતી.
જ્યોતિષોનું કહેવું છે કે તે સમયે ધરતીકંપો ચક્રવાતો જ્વાળામુખી અને સુનામીની ઉપરાંત ઉપગ્રહો અને સેટેલાઇટની આસપાસની અથડામણની ઘટાનાઓની શકાયતાઓ રહેલી છે. આ વિવિધ ધટનાઓથી વિનાશકનું કારણ બની શકે છે.