સૃષ્ટિની અદભૂત રચના એટલે માનવ શરીર શરીરની રચના દ્વારા માનવીય જીવનની ચઢતી-પડતી અંગેનો સામાન્ય ખ્યાલ નક્કિ કરી શકાય છે.ખાસ કરીને સ્ત્રીઓના પગ સાથે તેના પતિના ભવિષ્ય અંગે જણાવવામાં આવેલ છે.
આપને જણાવી દઇએ કે સ્ત્રીઓના પગમાં કેટલાક ખાસ નિશાન હોય છે.જે તેના ચિન્હો તેના પતિના ઉજ્જવળ ભવિષ્ય અંગેનો સંકેત આપે છે.આ સાથે પગનો આકાર બતાવે છે કે દાંપત્યજીવન કેવું રહેશે.ભારતીય ધર્મશાસ્ત્રોમાં પતિ-પત્નીના સંબંધોનો વિશેષ માનવામાં આવે છે.
શાસ્ત્ર અનુસાર જો કે કોઇ સ્ત્રીના પગના તળિયે ચક્ર ધ્વજ અથવા સાથિયાનું નિશાન હોય તો આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર વ્યક્તિને સુખ-સમૃધ્ધિની પ્રાપ્તિ થશે.આવા નિશાન ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરૂષ રાજ સુખ પ્રાપ્ત કરે છે.જ્યારે પગના તળિયામાં ગાદી અથવા કોઇપણ રેખા આંગળી તરફ જતી હોય તો તેને શુભ માનવામાં આવે છે.
આપણા ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે જો સ્ત્રીની પગની બીજી આંગળી જેને તર્જની પણ કહેવાય છે તે અન્ય આંગળીઓ કરતાં મોટી છે તો તે સ્ત્રી તેના પતિ સાથે તેના ખભે-ખભા મેળવી ચાલવાનો વિશ્વાસ રાખે છે. આવી સ્ત્રીઓ પતિને દરેક બાબતમાં મદદરૂપ થાય છે.
એક માન્યતા પ્રમાણે જો મહિલાની કનિષ્કા અને અનામિકા જમીનને સ્પર્શી જતી ના હોય તો આ સ્ત્રીઓ નાની ઉંમરમાં વિધવા થઇ શકે છે.જો કોઈ સ્ત્રીના પગના તળિયા પર કમળ કે છત્રનું નિશાન હોય તો આ વાતનો સંકેત છે કે આ મહિલાનો પતિ રાજકારણમાં સફળતા પ્રાપ્ત કરશે અને સમાજમાં પણ વિશેષ સન્માન પ્રાપ્ત કરશે.
જો અનામિકા આંગળીની લંબાઇ અંગૂઠો અને તર્જનીથી વધુ મોટી હોય તો આવી સ્ત્રીઓને પોતાના પતિની ચિંતા વધુ રહે છે.આપને જણાવી દઇએ કે કોઇ સ્ત્રીના પગની મધ્યમા અને અનામિકાની લંબાઇ સમાન હોય તો આવી સ્ત્રીઓના પતિને આર્થિક તકલીફ આવી શકે છે.
ગ્રંથોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે જો સ્ત્રીની હીલ ગોળ નરમ અને આકર્ષક હોય તો પછી તે સ્ત્રીને ચમક્તી જીવનશેલી મળે છે.જો પગના તળિયા પર રચાયેલી રેખા તદ્દન સ્પષ્ટ અને કાપેલી છે તો તે સૂચવે છે કે વ્યક્તિ નું જીવન કોઈ પણ સંઘર્ષ વગર ચાલતું રહેશે.