નારિયેળનો ઉપયોગ દરેક પૂજા-પાઠમાં થાય છે. પરંતુ દરેક માંગલિક કામની શરૂઆત નારિયેળ ફોડીને જ કરવામાં આવે છે. આ ઉપરાંત પણ નારિયેળ વધુ ઉપયોગી છે. જેના અમુક ઉપાય જીવનમાં આનંદ લાવી દેશે.
માંગલિક કામની શરૂઆત નારિયેળ ફોડીને જ કરાય છે
એક નારિયેળ દૂર કરી શકે છે જીવનના તમામ દુ:ખ
જાણો નારિયેળના પ્રભાવી ઉપાય
જ્યોતિષમાં નારિયેળને વધુ મહત્વ અપાયુ
સનાતન ધર્મમાં નારિયેળને શ્રીફળ કહેવામાં આવ્યું છે, એટલેકે ફળમં શ્રેષ્ઠ. પૂજા-પાઠમાં નારિયેળનો ઉપયોગ મુખ્ય કરવામાં આવે છે. આ ઉપરાંત નવા કામની શરૂઆત કરવી હોય કે પછી કોઈ ધાર્મિક-માંગલિક આયોજન વખતે નારિયેળ આવશ્ય ફોડવામાં આવે છે. કારણકે કોઈ પણ કામ વિધ્ન-અડચણ વગર પૂર્ણ થઇ જાય. ધર્મ સિવાય જ્યોતિષમાં પણ નારિયેળને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં નારિયેળના ઘણા એવા પ્રભાવશાળી ઉપાય જણાવવામાં આવ્યાં છે, જે અનેક દુ:ખ-દર્દ દૂર કરી શકે છે.
નારિયેળના પ્રભાવી ઉપાય
શનિ દોષમાંથી છૂટકારો મેળવવા માટે નારિયેળનો ઉપાય
કુંડળીમાં શનિ દોષનુ હોવુ જીવનમાં અનેક પ્રકારના દુ:ખોનુ કારણ બને છે. આ મુશ્કેલીઓ આર્થિક, શારીરીક, માનસિક ગમે તેવી હોઇ શકે છે. જેનાથી છૂટકારો મેળવવા માટે શનિવારે નદીમાં એક નારિયેળ રમતુ મુકી દો. આ દરમ્યાન ભગવાન હનુમાનના 'ઓમ રામદૂતાય નમ:' મંત્રનો જાપ આવશ્ય કરો અને દરેક દુ:ખમાંથી છૂટકારો અપાવવાની પ્રાર્થના કરો.
સફળતા મેળવવા માટે નારિયેળનો ઉપાય
જો કામમાં વારંવાર અડચણ આવી રહી છે તો લાલ કપડામાં એક નારિયેળ બાંધીને ઘરના મુખ્ય દરવાજાની અંદર લટકાવી દો. જેનાથી ઘરની નકારાત્મકતા દૂર થશે અને કામમાં સફળતા મળશે.
નાણા અને વ્યાપારમાં નફો મેળવવા માટે ઉપાય
જો કારકિર્દી-વ્યાપારમાં પ્રગતિ નથી થતી તો ગુરૂવારના દિવસે એક પીળા કપડામાં નારિયેળ, પીળા ફૂલ, હળદરનો ગઠ્ઠો, પીળી મિઠાઈ બાંધીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો.