ઘરમાં દીવો પ્રગટાવવાથી અંધકારને દૂર કરવામાં આવે છે. આ પ્રકારે કહેવાય છે કે ભગવાન આગળ દીવો પ્રગટાવવાથી વ્યક્તિના જીવનનુ અંધારૂ દૂર થાય છે. સાંજના સમયે ભગવાનની સામે દીવો પ્રગટાવતી સમયે આ મંત્રનો જાપ લાભકારી હોય છે.
ઘરમાં દીવો પ્રગટાવવાથી અંધકાર થાય છે દૂર
સાંજના સમયે ભગવાનની સામે પ્રગટાવો દીવો
આ મંત્રનો જાપ કરવાથી વધશે સમૃદ્ધી
દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
જ્યોતિષ શાસ્ત્રનુ કહેવુ છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ઘરમાં દીવાને સકારાત્મક ઉર્જાનુ પ્રતિક માનવામાં આવ્યું છે. ઘરમાં દીવો પ્રગટાવવાથી સકારાત્મક શક્તિઓ ઘરની અંદર પ્રવેશ કરતી નથી. તો મનાય છે કે દીવાની જ્યોત વ્યક્તિના પ્રગતિનુ પ્રતિક માનવામાં આવે છે. આ દરમ્યાન દીવો પ્રગટાવતી સમયે મંત્રનો જાપ કરવો વિશેષ રીતે લાભદાયી માનવામાં આવે છે. આવો જાણીએ ઘરમાં સાંજે દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ.
તેથી પ્રગટાવવામાં આવે છે દીવો
હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા-અનુષ્ઠાન દરમ્યાન વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં મંત્રોના જાપનુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે મંત્રોના ઉચ્ચારણની સાથે જો કોઈ કાર્ય કરવામાં આવે તો તેમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે અને પૂજા પૂર્ણ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં સાંજના સમયે દીવો પ્રગટાવવાના અમુક મંત્ર જણાવવામાં આવ્યાં છે. કહેવામાં આવે છે કે સાંજના સમયે આ મંત્રોના ઉચ્ચારણથી જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પૂજા કરતી સમયે મંત્રનુ ઉચ્ચારણ કરવાથી મનુષ્યને વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ મંત્રનો અર્થ ભગવાનની સામે આપણે જે દીવો પ્રગટાવ્યો છે, તેનાથી આપણુ સારું થાય, કલ્યાણ થાય, આરોગ્ય મળે, રોગનો નાશ થાય અને ધન-સંપત્તિમાં વધારો થાય. સદબુદ્ધી મળે અને વ્યક્તિના પાપનો નાશ થાય.