દેવી-દેવતાઓની કૃપા રાખવા માટે માણસ વારંવાર ધાર્મિક ગ્રંથોમાં લખેલી ચીજ વસ્તુઓનું અનુસરણ કરે છે. પોતાના આરાધ્ય દેવી-દેવતાનો પૂજા-પાઠ કરે છે. વ્રત રાખે છે અને આ સાથે દાન વગેરે કરે છે. જેને કારણે દેવી-દેવતાની કૃપા જળવાઈ રહે.
દાન કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
અમુક વસ્તુઓનું દાન કરવાથી માણસને પડે છે મુશ્કેલી
આ વસ્તુઓનું દાન ભૂલથી પણ ના કરશો
જ્યોતિષ શાસ્ત્રમાં દાનને લઇને અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે. એવામાં અમુક વસ્તુઓનું દાન માણસને મોંઘુ પડી શકે છે. ઘરમાં કંકાશ-કલેશ વધારી શકે છે. તેથી અમુક વસ્તુઓનુ દાન ભૂલથી પણ ના કરવુ જોઈએ.
ભૂલથી પણ દાનમાં ના આપશો આ વસ્તુઓ
સ્ટીલના વાસણ
પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા અને તેની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે વારંવાર લોકો એવી ચીજ વસ્તુઓનું દાન કરે છે, જે જ્યોતિષ મુજબ ભૂલથી પણ ના કરવુ જોઈએ. જેમાંથી એક સ્ટીલનુ વાસણ પણ છે. કહેવાય છે કે સ્ટીલના વાસણ દાન કરવાથી માણસના પરિવાર અને સુખ-સમૃદ્ધી પર ઊંડો પ્રભાવ પડે છે.
વાસી રોટલી
ધાર્મિક ગ્રંથોમાં અનાજ અને જળને મહાદાન જણાવવામાં આવ્યું છે. પરંતુ તેના માટે તમે કશુ પણ દાન ના કરી શકો. ઘણી વખત લોકો ઘર આવેલા ભિક્ષુકને દાનમાં વાસી ભોજન અથવા વાસી રોટલી એવુ વિચારીને આપી દે છે કે કોઈનુ પેટ ભરાઈ જશે. પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ આ ખોટું છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવ્યું છે. જો તમે કોઈ ગરીબ અને જરૂરીયાતમંદને ભોજન આપી રહ્યાં છો તો તાજુ આપો તેનાથી તમારું ભાગ્ય ચમકશે.
ગ્રંથનુ દાન
અધૂરી જાણકારીથી પુણ્યનુ કામ કરવુ પણ ઘણી વખત હાનિકારક બની શકે છે. માન્યતા છે કે કોઈ પણ જરૂરીયાતમંદને બુક, ચોપડી અને ગ્રંથ વગેરે દાન કરવુ ખૂબ શુભ હોય છે. પરંતુ દાન કરતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે તે બુક ફાટેલી ના હોવી જોઈએ ત્યારે આ દાનનું મહત્વ છે. દાન કરતી વખતે માણસના વિચાર સ્પષ્ટ હોવા જોઈએ ત્યારે પુણ્યનું ફળ મળશે. નહીંતર માણસને દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે.