રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મીઠાનો ઉપયોગ માત્ર સ્વાદ વધારવામાં કરવામાં આવતો નથી. પરંતુ ભાગ્યને ચમકાવવામાં પણ મીઠુ ખૂબ ઉપયોગી છે. વાસ્તુ જાણકારોનું કહેવુ છે કે મીઠુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એટલું જ નહીં, ઘરમાં સુખ-સમૃદ્ધી વધારવા માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.
ભાગ્યને ચમકાવવામાં પણ મીઠુ ખૂબ ઉપયોગી
ઘરમાં સુખ-સમૃદ્ધી વધારવા માટે કરાય છે મીઠાનો ઉપયોગ
મીઠાને કાચના જારમાં રાખશો તો ક્યારેય નહીં સર્જાય નાણાની અછત
માન્યતા છે કે મીઠુ ક્યારેય પણ કોઈ ધાતુમાં ના રાખશો. તેને હંમેશા કાચના જારમાં રાખવુ ઉત્તમ રહે છે. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને નાણાંની અછત થતી નથી.
વાસ્તુ અનુસાર મીઠાના ઉપાય
આર્થિક તંગી દૂર કરવા માટે
વાસ્તુ મુજબ આર્થિક તંગીને દૂર કરવા માટે એક કાચના પાત્રમાં બે ચમચી મીઠુ અને 4-5 લવિંગ નાખો. આ વાસણને ઘરના કોઈ પણ ખૂણામાં રાખી દો. એવી જગ્યાએ રાખો. જ્યાં કોઈની નજર ના પડે. આ ઉપાય કરવાથી ઘરમાં નાણાનુ આગમન ફરીથી શરૂ થાય છે અને માણસની આર્થિક સ્થિતિમાં ફેરફાર થાય છે.
પરિવારમાં સુખ-શાંતિ માટે
ઘરમાં નિયમિત રીતે વધતા કલેશમાંથી છૂટકારો મેળવવા માટે પોતુ મારવાના પાણીમાં એક ચપટી કાળુ મીઠુ નાખીને આખા ઘરમાં દરરોજ પોતુ મારવાથી લાભ થશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આમ તો આ ઉપાય દરરોજ કરવા જોઈએ. પરંતુ જો દરરોજ ના કરી શકાય તો મંગળવારના દિવસે ફરજીયાત કરો.
તણાવને દૂર કરવા માટે
જો કોઈ માણસ તણાવમાં છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ માણસને સવારે સ્નાન કરતી વખતે ન્હાવાના પાણીમાં એક ચપટી મીઠુ નાખીને સ્નાન કરવુ જોઈએ. આમ કરવાથી માણસનો તણાવ દૂર થાય છે અને તેમાં સકારાત્મકતાનો સંચાર થાય છે.