છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પ્રવર્તતા તીવ્ર પ્રદૂષણના કારણે હવાની ગુણવત્તા નબળી થવાથી અમદાવાદીઓના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. ધૂળ અને ધુમાડા સહિતનાં પ્રદૂષણના, અસ્થમાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પોલ્યુશન વધવાના કારણે રહીશોમાં અસ્થમા, કફ અને શ્વાસ લેવામાં તકલીફમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં અસ્થમાના કેસની સંખ્યા ૩૦ ટકા જેટલી વધી ગઇ છે. તબીબોના મતે વાહનોનું પ્રદૂષણ પરિસ્થિતિને વધુ વણસાવે છે.
બાળકો અને યુવાનો સૌથી વધુ તેનો ભોગ બને છે
મેટ્રો રેલ પ્રોજેક્ટની ધૂળના કારણે સ્થાનિકોને શ્વાસને લગતી બીમારીઓ વધી
લોકો ઇનહેલર મેડિસિનથી ઓછા માહિતગાર
ચિંતાજનક વાત એ છે કે બાળકો અને યુવા દર્દીઓની સંખ્યા પણ વધી
શહેરના ૫૦ જેટલા ચેસ્ટ ફિઝિશિયનને ત્યાં દરરોજ નવા બે દર્દી ઉમેરાય છે. ચિંતાજનક વાત એ છે કે બાળકો અને યુવા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આજના વધતા જતાં પ્રદૂષણમાં શહેરી પ્રદૂષણનું મુખ્ય કારણ વાહનોનું ઉત્સર્જન છે. રોજબરોજનાં જીવનમાં લોકો વાહનોના ધુમાડા અને ઉત્સર્જિત રજકણોનો સતત ભોગ બને છે. બાળકો અને યુવાનો સૌથી વધુ તેનો ભોગ બને છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે અસ્થમાના દર્દીઓની સંખ્યામાં ૪૫ ટકા જેટલો વધારો થયો છે.
લોકો ઇનહેલર મેડિસિનથી ઓછા માહિતગાર
તબીબોએ જણાવ્યું હતું કે લોકો ઇનહેલર મેડિસિનથી ઓછા માહિતગાર છે. જો બાળ દર્દીઓને નિયમિત રીતે શ્વાસ વાટે દવા આપવામાં આવે તો થોડાં વર્ષોમાં અસ્થમા મટી શકે છે. અસ્થમાની સારવાર કરવી જરૂરી છે એવી જાગૃતિ છે તેમ છતાં હજુ ઘણા દર્દીઓ શ્વાસ વાટે દવા લેતા ખચકાટ અનુભવે છે એવું તબીબોએ જણાવ્યું હતું.
મેટ્રો રેલ પ્રોજેક્ટની ધૂળના કારણે સ્થાનિકોને શ્વાસને લગતી બીમારીઓ વધી
બીજી તરફ મેટ્રો રેલ પ્રોજેક્ટની ધૂળના કારણે સ્થાનિકોને શ્વાસને લગતી બીમારીઓ વધી રહી છે. રસ્તાઓનાં ખોદકામના કારણે સતત ધૂળ ઊડી રહી છે ધૂળિયા રસ્તા પરથી વાહનો પસાર થાય છે ત્યારે આખું વાતાવરણ ખરાબ થઈ જાય છે. મેટ્રોના કામમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું પાલન ન થતું હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આવી રીતે કામ ચાલી રહ્યું હોય ત્યારે ધૂળ માટે ટ્રીટેડ વેસ્ટ વૉટરનો ઉપયોગ કરવાનું સૂચન છે. જેથી ધૂળના રજકણો ન ફેલાય. જો કે તેનું પાલન ન થતું હોવાના કારણે લોકોની સમસ્યા વધી રહી છે.