એક મોટા સાઈઝનું ઉલ્કાપિંડ આ મહિનાની 18 તારીખે પૃથ્વી પાસેથી પસાર થવાનુ છે. નાસા મુજબ, આ ચાલુ વર્ષનું પહેલું ઉલ્કાપિંડ છે, જે ધરતીની પાસેથી પસાર થવાનુ છે. જો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાય તો તેના ભયાનક પરિણામ આવી શકતા હતા. પરંતુ આવુ થયુ નથી. આ પૃથ્વીને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર અહીંથી નિકળી જશે.
તો શું પૃથ્વી પર તબાહી મચશે?
18 તારીખે એક મોટુ ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થશે
જો આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે તો નામોનિશાન ખત્મ થઇ જશે
એફિલ ટૉવરથી ચાર ગણો છે તેનો આકાર
મીડિયાના એક રિપોર્ટ મુજબ, આ ઉલ્કાપિંડનું નામ 7482 (1994 PC1) છે. જેનો વ્યાસ લગભગ 1 કિલોમીટર છે અને તેની પહોળાઈ 1.3 કિલોમીટર છે. આ ઉલ્કાપિંડનો આકાર એફિલ ટાવરથી ચાર ગણો અને ન્યુયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી સાડા ત્રણ ગણો મોટો છે.
સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યું છે આ ઉલ્કાપિંડ
આ ઉલ્કાપિંડને અપોલો ક્લાસ ઉલ્કાપિંડ કહેવાઈ રહ્યું છે, જેનો અર્થ છે કે તેનાથી ફરનારી કક્ષા પૃથ્વીથી મોટી છે અને આ સૂર્યનું ચક્કર લગાવી રહ્યું છે. નાસાનું કહેવુ છે કે આ ઉલ્કાપિંડ 18 જાન્યુઆરીથી પૃથ્વીથી 1.98 મિલિયન કિલોમીટરના અંતરથી નિકળશે. નાસાનું કહેવુ છે કે આગામી 100 વર્ષ સુધી પૃથ્વી પાસેથી કોઈ પણ ઉલ્કાપિંડ સાથે ટકરાવવાની સંભાવના નથી.
જીવનનું નામોનિશાન ખત્મ થઇ જશે
એક અભ્યાસ મુજબ, જો 140 મીટર વ્યાસનો કોઈ ઉલ્કાપિંડ ધરતી સાથે અથડાય છે તો તેનાથી પૃથ્વી પર થયેલા પહેલા પરમાણુ વિસ્ફોટથી હજાર ગણી વધુ ઉર્જા નિકળશે અને જો કોઈ ઉલ્કાપિંડનો વ્યાસ 300 મીટર છે તો તેનાથી પૃથ્વીનું નામોનિશાન ખત્મ થઇ જશે.