જ્યારે આપણુ કોઇ કામ ન થતુ હોય તો ભગવાનની બાધા રાખી લેતા હોઇએ છીએ. કોઇ કામના બદલે ઉપવાસ કે દાનની બાધા સામાન્ય રીતે રાખતા હોઇએ છીએ.
કેરળના મંદિરમાં 700 કરોડનું દાન
દાનની રકમથી મંદિરનો થશે જિર્ણોદ્વાર
બિઝનેસમેની માનતા થઇ સફળ
ત્યારે બેગલુરુમાં એક બિઝનેસમેન તેનું કામ થઇ જશે તો તે કેરળના કોચીમાં આવેલા ચોટ્ટાનિક્કારા મંદિરમાં 700 કરોડ રૂપિયાનું દાન કરશે.
ગણેશ શ્રવણ સ્વામી નામના બિઝનેસમેને કહ્યું કે બે વર્ષ પહેલા તેમને ધંધામાં ખોટ આવી હતી અને તેમણે દર મહિને આ મંદિરમાં આવવાનું શરુ કર્યું. થોડા સમયમાં જ પરિસ્થિતિ સુધરી ગઇ અને ધંધો ધમધમાટ ચાલવા લાગ્યો.
ધંધામાં આવેલી ખોટ સરભર થઇ જતાં તે વાયદા પ્રમાણે 700 કરોડ રૂપિયાનું દાન આપવાના છે. મંદિરના સમારકામનો પ્લાન પણ નક્કી થઇ ગયો છે, જેમાં મંદિરના છત્રને સોનાથી મઢવાની સાથે સાથે યાત્રાળુંના રહેવાની પણ સુવિધા ઉભી કરવામાં આવશે.
700 કરોડના દાનને લઇને મંદિર કમિટીમાં છેલ્લા 1 વર્ષથી વાત ચાલી રહી હતી. આ મંદિરના જિર્ણોદ્વારને હાઇકોર્ટની મંજૂરી મળે તેની રાહ જોવાઇ રહી છે, કારણકે જિર્ણોદ્વારનો સંપૂર્ણ ખર્ચ દાતા દ્વારા જ કરવામાં આવશે.