ઉદ્યોગ ચેમ્બર એસોચૈમે કહ્યું કે અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસના પ્રભાવના કારણે સૌથી મોટી વૈશ્વિક મંદીમાંથી ઉગારવા માટે એક પ્રોત્સાહન પેકેજની જરૂર છે. ભારતીય અર્થવસ્થાને પાટે ચઢાવવા ઓછામાં ઓછા 200 અરબ ડોલરના પ્રોત્સાહન પેકેજની જરૂરત છે.
અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવા પેકેજની જરૂર
જાણીતી સંસ્થા એસોચૈમે કર્યો દાવો
200 અરબ ડોલરના રાહત પેકેજની જરૂર
એસોચેમે એમ પણ કહ્યું કે જો આગામી ત્રણ મહિનામાં 50-100 અરબ ડોલર રોકડની જરૂર છે. આ રોકડ નોકરિયાતો અને આવકના નુકસાનની ભરપાઇ કરવા માટે કરાશે. સરકારે GSTમાં ત્રણ મહિના માટે 50 ટકા અને નાણાકીય વર્ષ માટે 25 ટકા ઘટાડવા પર વિચાર કરવો જોઇએ.
નાણામંત્રી નિર્મલા સીતારમનને એક ભલામણ પત્રમાં એસોચેમના અધ્યક્ષ ડૉ. નિરંજન હીરાનંદાનીએ કોરોના મહામારી વિરૂદ્ધ દેશવ્યાપી લડતના પગલે અર્થવ્યવસ્થા જાળવવા ઘણા કડક પગલા સૂચવવામાં આવ્યા છે.
અર્થવ્યવસ્થામાં સુધારો કરવા માટે એસોચૈમની સલાહ
વધુમાં ચેમ્બરે કહ્યું કે દુનિયાની મોટાભાગની અર્થવ્યવસ્થા પોતાના ઘરેલુ ઉત્પાદનના 10 ટકા પ્રોત્સાહન આપી રહી છે. જેનું ધ્યાન રાખી ભારતીય અર્થવસ્થાને 200 અરબ ડોલરથી વધુ રોકડની જરૂર પડશે. જેથી આગામી 12-18 મહિનામાં અર્થવ્યવસ્થા 300 બિલિયન ડોલરથી આગળ વધવાની ક્ષમતા જાળવી રાખે.
ચેમ્બરે કહ્યું કે આપણે ત્રણ બાબતોને ધ્યાને રાખી આગળ વધવુ પડશે. કર્મચારીઓ અને શ્રમિકોને ડાયરેક્ટ ટ્રાન્સફર માધ્યમથી સીધી મદદ, નિયોક્તા દ્વારા ખાતરી કરવા માટે કે કંપનીઓ પાસે મંદીથી બચવા માટે પૂરતી રોકડ છે અને અંતિમ, નાણાકીય અને આવકવેરા સંબંધિત પગલાં દ્વારા માંગ અને રોકાણને પ્રોત્સાહન આપવામાં આવે છે.