કોરોના વાયરસના કારણે ચીનની અર્થવ્યવસ્થાને ભારે અસર પહોંચી છે. ચીનની તમામ મોટી કંપનીઓ બંધ છે. ત્યારે ઉદ્યોગ મંડળ એસોચેમનું માનવું છે કે વાયરસના કારણે વૈશ્વિક નિકાસ બજારમાં ચીનનું ખાલી સ્થાન ભારત લઈ શકે છે. એસોચેમે કહ્યું કે ભારત ઈલેક્ટ્રોનિક્સ, ફોર્માસ્યુટિકલ્સ, વિશેષ પ્રકારનું કેમિકલ અને વાહન નિકાસના રો મટિરીયલ માટે ચીન પર નિર્ભર છે. પરંતુ ઘણા એવા સેક્ટર છે જેમાં સ્થાનિક કારોબારીઓને તક મળી શકે છે. ભારત મોટી સંખ્યામાં એન્જિનિયરિંગ નિકાસ દ્વારા ચીનનું સ્થાન મેળવી શકે છે. બીજી તરફ ચામડાના ઉદ્યોગમાં ચીનનું સ્થાન મેળવી શકે છે.
કોરોના વાયરસના કહેરથી ચીનનો બિઝનેસ ઠપ
ભારત પાસે મોટો અવસર, ચીનનું સ્થાન લઈ શકે ભારત
વૈશ્વિક નિકાસ બજારમાં લઈ શકે છે સ્થાન
મુશ્કેલીમાં છે ચીન
એસોચેમનું કહેવું છે કે ભારત ઈલેક્ટ્રોનિક્સ, ફોર્માસ્યુટિકલ્સ, વિશેષ પ્રકારનું કેમિકલ અને વાહન નિકાસના રો મટિરીયલ માટે ચીન પર નિર્ભર છે. આ સમયે ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ અનેક એવા સેક્ટર છે જ્યાં સ્થાનીય કારોબારની તક પણ છે.
કેટલાક સેક્ટર્સમાં છે મોટી તક
એસોચેમે કહ્યું કે કેટલાક સેક્ટર્સને બાદ કરતાં ભારતને મોટી સંખ્યામાં એન્જિનિયરિંગ નિકાસ ચીન દ્વારા ખાલી કરવામાં આવેલા બજારને મેળવી શકે છે. આવી જ સ્થિતિ ચામડા ઉદ્યોગની બાબતમાં પણ છે. તેમણે કહ્યું કે ભારત કૃષિ અને કાર્પેટ ક્ષેત્રે પણ તકો શોધી શકે છે. "જ્યારે ચીનના નિકાસકારો તેમનો પુરવઠો સામાન્ય બનાવવાની સ્થિતિમાં હોય છે, ત્યારે તે સમયે પણ આપણા ઘણા પ્રદેશોએ તેની સાથે સ્પર્ધા કરવા માટે ઉત્પાદનના સ્તરમાં સુધારો કરવો પડશે."
એસોચેમનું માનીએ તો આજે કોરોના વાયરસ જેવી આફત આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. પરંતુ ભારત જેવી મોટી અર્થવ્યવસ્થા માટે આ ખાલી જગ્યાની ભરપાઇ કરવી જરૂરી બને છે. ભારત જેવા દેશોએ આ મુદ્દે સ્પષ્ટ રણનીતિ ઘડવી જોઈએ.