કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીઓમાં મતદાનનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણીપંચનો મહત્વપૂર્ણ નિર્ણય
વિધાનસભા ચૂંટણીમાં વધારવામાં આવશે મતદાનનો સમય
એક કે બે દિવસ બાદ મતગણતરી નહીં કરી શકાયઃ ચૂંટણીપંચ
કોરોના મહામારી વચ્ચે વર્ષ 2021માં બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ ચૂંટણીને ધ્યાને રાખીને કેટલાક રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને માંગ કરી હતી કે, મતદાનનો કલાક વધારવામાં આવે. ચૂંટણી પંચે આ તમામ પક્ષોની માંગને સ્વીકારતા ચૂંટણીનો સમય એક કલાક સુધી વધારવાનો નિર્ણય લીધો છે.
ત્યારે ચૂંટણી પંચે મતદાનના પરિણામોને લઇને પણ મહત્વપૂર્ણ માહિતી આપી. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ તમામ રાજકીય પક્ષોએ જણાવ્યું કે, જ્યારે એકથી વધુ રાજ્યોમાં ચૂંટણી થાય છે, તો એક કે બે દિવસ બાદ મતગણતરી નહીં કરી શકાય.
તેમણે કહ્યું કે, જો એક રાજ્યનું પરિણામ નિકળે છે તો તેને બીજા રાજ્યની ચૂંટણી આનાથી પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે, વસ્તીના હિસાબથી દરેક રાજ્યોમાં મતદાનની સમય મર્યાદા અલગ અલગ હોય છે એટલા માટે અમે અંતમાં મતગણતરી કરીશું.
સુનીલ અરોરાએ કહ્યું કે, તમિલનાડુમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2021એ સમાપ્ત થશે. રાજ્યમાં 234 વિધાનસભા વિસ્તારો માટે ચૂંટણી થવાની છે. તેમાંથી સામાન્ય વર્ગ માટે 188, એસસી માટે 44, એસટી માટે 02 બેઠક છે. તેમણે કહ્યું કે, કોરોનાને ધ્યાને રાખતા દિશા-નિર્દેશ હેઠળ મતદાન કરાવાશે. એક તરફ મોટી માહિતી આપતા તેમણે કહ્યું કે, કન્યાકુમારી લોકસભા ચૂંટણી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવામાં આવશે.