આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ રાજ્યમાં બે બાળકોની નીતિ લાગુ પાડવાની જાહેરાત કરી છે.
આસામમાં સરકારી યોજનાનો લાભ લેવા બે બાળકોની નીતિની જાહેરાત
મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ કરી જાહેરાત
કેન્દ્રની યોજનામાં નીતિ લાગુ નહીં પડે
મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે આસામ સરકાર દ્વારા તબક્કાવાર રીતે બે બાળકોની નીતિ લાગુ પાડવામાં આવશે. તેમણે કહ્યું કે જોકે વસતી નિયંત્રણ નીતિ તમામ યોજનામાં લાગુ નહીં પડે કારણ કે ઘણી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાઈ રહી છે.
કેન્દ્રની યોજનામાં બે બાળકોની નીતિ લાગુ નહીં પડે
મુખ્યમંત્રીએ કહ્યું કે કેટલીક એવી યોજનાઓ છે જેમાં અમે બે બાળકોની નીતિ લાગુ ન પાડી શકીએ જેમ કે સ્કૂલો અને કોલેજોમાં મફત શિક્ષણ અથવા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની બીજી યોજના માટે આ નીતિ શક્ય નથી પરંતુ એવી કેટલીક યોજનાઓમાં રાજ્ય સરકાર બે બાળકોની નીતિ લાગુ પાડી શકે છે. ત્યાર બાદ ધીરે ધીરે આગળ વધતા દરેક યોજનામાં આ નીતિ લાગુ પાડવામાં આવશે.
મુખ્યમંત્રી બન્યા તે પછી તરત જ બે બાળકોની નીતિની વાત કરવા લાગ્યાં
આસામમાં વિપક્ષ કોંગ્રેસે મુખ્યમંત્રીના પરિવારની ટીકા કરી હતી. વિપક્ષને જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે 1970 ના દાયકામાં અમારા માતાપિતા અથવા બીજા લોકોએ શું કર્યું તેની પર વાત કરવાનો કોઈ અર્થ નથી. વિપક્ષ આવી અજીબની વાતો કરી રહ્યું છે. અને અમને 70 ના દાયકામાં લઈ જઈ રહ્યો છે. ઉલ્લેખીય છે કે ગયા મહિને મુખ્યમંત્રી પદના શપથ લીધઆ બાદ મુખ્યમંત્રી સરકારી યોજનાઓ હેઠળ ફાયદો લેવા માટે બે બાળકોના નિયમની હિમાયત કરી રહ્યાં છે.