જનસંખ્યાના નિયંત્રણની દિશામાં આસામની ભારતીય જનતા પાર્ટી સરકારે મહત્વનું પગલું લીધું છે. આસામની સર્વાનંદ સોનોવાલ સરકારે નિર્ણય લીધો છે કે 1 જાન્યુઆરી 2021થી જે વ્યકિતને 2થી વધારે બાળકો છે તેમને સરકારી નોકરી નહીં મળે. સોમવારે આસામ કેબિનેટની એક બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આસામ સરકારનો અતિ મહત્વનો નિર્ણય
2થી વધુ બાળકો થશે તો નહીં મળે સરકારી નોકરી
1 જાન્યુઆરી 2021થી લાગુ પડશે આ નિયમ
આસામના સર્વાનંદ સોનોવાલ સરકારે કર્યો નિર્ણય
જનસંખ્યાના નિયંત્રણની દિશામાં આસામની ભારતીય જનતા પાર્ટી સરકારે મહત્વનું પગલું લીધું છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2021થી એ વ્યક્તિઓને સરકારી નોકરી નહીં મળે જેના 2થી વધારે બાળકો છે. આસામની સર્વાનંદ સોનોવાલ સરકારે નિર્ણય લીધો છે કે 1 જાન્યુઆરી 2021થી જે વ્યકિતને 2થી વધારે બાળકો છે તેમને સરકારી નોકરી નહીં મળે. સોમવારે આસામ કેબિનેટની એક બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2થી વધારે બાળકો હશે તો નહીં મળે નોકરી
સપ્ટેમ્બર 2017માં આસામ વિધાનસભાએ જનસંખ્યા અને મહિલા સશક્તિકરની નીતિને પાસ કરી હતી. આ નીતિના આધારે સરકારી નોકરીના એ આવેદક જેના બે બાળકો છે તેમને જ નોકરીને માટે યોગ્ય ગણવામાં આવશે. આ સિવાય હાલના સરકારી કર્મચારીઓએ પણ આ નિયમનું પાલન કરવાનું રહેશે.
મજૂરોને 3 વીઘા જમીન
કેબિનેટ મીટિંગમાં નવી લેન્ડ પોલીસીને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નીતિના આધારે એ લોકો જે આસામના નિવાસી છે પરંતુ તેમની પાસે જમીન નથી તેમને સરકારની તરફથી 3 વીઘા જમીન આવશે. આ સિવાય ઘર બનાવવાને માટે સરકાર અડધો વીઘા જમીન આપશે. આ સિવાય ઘર બનાવવા માટે પણ સરકાર અડધો વીઘા જમીન આપશે. સરકારી શાસનાદેશના આધારે આ સ્કીમનો ફાયદો લેનારી વ્યક્તિઓ આવનારા 15 વર્ષ સુધી આ જમીનને વેચી શકશે નહીં. કેબિનેટની આ બેઠકમાં બસનું ભાડું પણ 25 ટકા વધારવાની જાહેરાત કરવામાં આવી છે.
લાલ કિલ્લાથી પીએમ મોદીએ પણ કરી હતી અપીલ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ જનસંખ્યા વિસ્ફોટની તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વધતી જતી જનસંખ્યાના આધારે ચિંતા વ્યક્ત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે આવનારી પેઢીને માટે પણ વિચારવાની જરૂર છે. પીએમએ કહ્યું કે સીમિત પરિવારથી દેશનું ભલું થશે. તેઓએ નાના પરિવારને પ્રોત્સાહન આપતાં કહ્યું કે નાનો પરિવાર રાખવો પણ એક પ્રકારની દેશભક્તિ છે. તેઓએ કહ્યું કે જેનો પરિવાર નાનો છે, તે પણ દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. અને આ લોકોનું સન્માન કરવું જોઈએ.