ફિલ્મમેકર લીના મણિકેલાઈની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટર પર વિવાદની વચ્ચે આસામમાંથી એક યુવક યુવતીને શિવ-પાર્વતીનો વેશ ધારણ કરવો ભારે પડ્યો હતો.
આસામમાંથી વિચિત્ર ઘટના ઘટી
શિવ પાર્વતીનો વેશ ધારણ કરીને નિકળવું ભારે પડ્યું
પોલીસે શિવનો રોલ કરનારા શખ્સને ઉઠાવી ગઈ
ફિલ્મમેકર લીના મણિકેલાઈની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટર પર વિવાદની વચ્ચે આસામમાંથી એક યુવક યુવતીને શિવ-પાર્વતીનો વેશ ધારણ કરવો ભારે પડ્યો હતો. હિન્દુવાદી સંગઠનોએ પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો છે. ત્યાર બાદ શિવ બનેલા યુવકની પોલીસે ધરપકડ કરી હતી. જો કે, બંનેએ દાવો કર્યો હતો કે, બંને કલાકાર છે અને તેમણે સામાન્ય જનતાના મુદ્દા પ્રત્યે લોકોનું ધ્યાન ખેેંચવા માટે ક્રિએટિવ નાટક કર્યું હતું.
Nagaon, Assam | Man who played Lord Shiva in nukkad natak arrested for allegedly hurting religious sentiments
An accused who dressed up as Lord Shiva arrested, will be presented in court. 2 others, suspected to be involved are yet to be nabbed: Manoj Rajvanshi, Sadar PS Incharge pic.twitter.com/DMQXjPX3MP
બન્યું છે એવું કે, શનિવારે સવારે લગભગ 8.30 કલાક ભગવાન શિવ આસામના નાંગાવ શહેરના રસ્તા પર દેવી પાર્વતી સાથે રોયલ એનફીલ્ડ બુલેટ પર સવાર થઈને નિકળ્યા હતા. બંને યુવક યુવતી શિવ પાર્વતીના વેશમાં સવારી કરીને નિકળ્યા હતા. અચાનક તેમના બુલેટમાં પેટ્રોલ ખતમ થઈ ગયું. તેને લઈને પાર્વતી બનેલી મહિલા નારાજ થઈ ગઈ હતી. બાદમાં ભારે હોબાળો થયો.શિવ બનેલા યુવકે પણ જવાબ આપ્યા. આ બંને વચ્ચે ચર્ચા પેટ્રોલથી આગળ નિકળીને દેશમાં વધી રહેલી મોંઘવારી અને સામાન્ય જનતાની મુશ્કેલીઓ સુધી પહોંચી ગઈ હતી. શિવ-પાર્વતી વચ્ચે આ પ્રકારની ચર્ચા જોઈને મામલો ગરમાઈ ગયો. આ વીડિયો હિન્દુ સંગઠનો સુધી પહોંચ્યો. તેમણે દેવી દેવતાઓનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. મામલો વધારે ચગતા પોલીસે શિવ બનેલા યુવકની ધરપકડ કરી હતી.
આ બાજૂ શિવ બનેલા યુવકે જણાવ્યું હતું કે, તે એક્ટર છે અને તેનુ નામ બ્રિનિચા બોરા છે. જે મહિલા પાર્વતી બની હતી, તેનું નામ પરિસ્મિતા દાસ છે. તેમનો દાવો છે કે, તેમણે રચનાત્મક વિરોધ કરવા માટે લોકોનું ધ્યાન આકર્ષણ કરવા માટે આ નાટક કર્યુ હતું. બ્રિનિચા બોરાએ કહ્યું કે, ઘણા બધા લોકોએ પોતાની સમસ્યા અને ચિંતાને દૂર કરવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. તેથી અમે શિવ પાર્વતીનું નાટક કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરતા હતા.