આસામના બારપેટા જિલ્લામાં આવેલું વડનું વૃક્ષ ર૦૭ વર્ષનું થઇ ગયું છે. જલીખેતી ગામના લોકોએ પાંચ જૂનના દિવસે આ વૃક્ષનો જન્મ દિવસ ઊજવ્યો હતો. આ વૃક્ષ ર૦૦ વર્ષ જૂનું થતાં સૌથી પહેલાં ર૦૧રમાં જન્મદિવસ મનાવાયો હતો. ત્યારબાદ દર વર્ષે પર્યાવરણ દિવસે વૃક્ષનો જન્મદિવસ મનાવાય છે.
ઉલ્લેખનીય છે કે, ર૦૧રમાં જન્મદિવસના અવસરે ૬ર કિલોગ્રામ કેક કાપવામાં આવી હતી અને ૧૦,૦૦૦ લોકો તેના સાક્ષી બન્યા હતા. આ ગામના ભાસ્કર કલીતાએ કહ્યું કે આ વર્ષે અમારા વૃક્ષની ઉંમર ર૦૭ વર્ષ થઇ ચૂકી છે. કલિતા વૃક્ષની દેખરેખ કરનાર કમિટીના પ્રમુખ છે. કમિટીમાં ઘણાં ક્ષેત્રમાં કામ કરનારા લોકો સામેલ છે, તેમાં પ્રકાશક-શિક્ષક અને સેનાના પૂર્વ જવાન સામેલ છે.
કલિતાએ કહ્યું કે બીજા લોકોને લાગે છે કે અમે બેકારમાં આ બધું કરી રહ્યા છીએ, પરંતુ અમે જાણીએ છીએ કે અમારું વૃક્ષ કેટલું ખાસ છે, નહીં તો કોરિયા અને જાપાનથી લોકો તેને જોવા શા માટે આવત. ર૦૧રમાં ર૦૦મા જન્મદિવસેે લોકોએ વૃક્ષ માટે કંઇક કરવાનું વિચાર્યું. ત્યારબાદ દર વર્ષે ગામવાસીઓ વૃક્ષનો જન્મદિવસ ઊજવે છે.
ગોહાટી યુનિવર્સિટીના બોટનીના રિટાયર પ્રોફેસર એસ.કે. બાળઠાકુરે કહ્યું કે ઘણા બધા લોકોનું માનવું છે કે આ વૃક્ષ પર દેવતાઓ અને અમારા સમુદાયના રક્ષક નિવાસ કરે છે. જલીખેતી ગામના લોકો માટે આ વૃક્ષ ખાસ છે. ગરમીના દિવસોમાં તે લોકો માટે છાંયો બને છે. ખોવાયેલા લોકો માટે તે લેન્ડમાર્ક છે. બાળકો માટે જ્ઞાનનું કેન્દ્ર છે.
કલિતાએ જણાવ્યું કે વૈજ્ઞાનિક રીતે વૃક્ષની ઉંમર નિર્ધારિત કરાઇ નથી. અધિકારીઓએ તેમાં રસ દાખવ્યો નથી, પરંતુ વૃદ્ધો પાસેથી અમે સાંભળતા આવ્યા છીએ કે આ વૃક્ષની ઉંમર ર૦૦ વર્ષથી વધુ છે. વૈજ્ઞાનિક રીતે અમે ખૂબ જ ઝડપથી તપાસ કરીશું અને તેની પ્રામાણિકતાની પુષ્ટિ કરીશું.૧૯૦૧માં વૃક્ષની બરાબર બાજુમાં શિવમંદિરનું નિર્માણ કરીને વૃક્ષના સંરક્ષણમાં મદદ કરાઇ હતી.