આસામના તિનસુકિયાની નજીક ઓઇલ ઇન્ડિયા લિમિટેડના ઓઇલ કૂવામાંથી લિકેજ થવાથી પ્રાણીઓ, જળસંગ્રહ અને પર્યાવરણને અસર થઈ રહી છે. સતત તેલ લિક થવાને કારણે અનેક જળ સ્ત્રોતોનું પાણી બગડ્યું છે. કેટલીક ડોલ્ફિન્સ મારી ગઈ છે. તેની ચામડી નીકળી ગઈ હતી. સેંકડો માછલીઓ મરી ગઈ, પ્રાણીઓ અને પક્ષીઓ માર્યા ગયા છે.
ઓઇલ ઇન્ડિયા લિમિટેડના કુવામાંથી ગેસ અને ઓઈલ લીક
આ ગેસ- ઓઈલ લીક થતા જ 1610 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
રાજ્યના મુખ્યમંત્રીએ પીડિતોના વળતરની માંગ કરી છે
તિનસુકિયાથી 43 કિમી દૂર વાઘજાન સ્થિત તેલના કુવામાંથી 27 મેના રોજ ગેસ અને તેલ નીકળવાનું શરૂ થયું. આ તેલનો કૂવો ડિબ્રુ સાઈખોવા નેશનલ પાર્કના મગુરી-મોટાપંગ વેટલેન્ડ્સ નજીક છે. માત્ર એક કિલોમીટરના અંતરે છે.
ઓઇલ ઇન્ડિયા લિમિટેડે કહ્યું છે કે વાલ્વમાં ખામી હોવાને કારણે આ અકસ્માત થયો છે. 60 ટકા સમારકામ કરવામાં આવ્યું છે. અમે સિંગાપોર સ્થિત કંપની એલર્ટ ડિઝાસ્ટર કંટ્રોલને બોલાવી છે, જેથી તેઓ અકસ્માત બાદ થયેલા નુકસાનની આકારણી કરી શકે.
અકસ્માત થતાની સાથે જ વાઘજાનથી 1610 પરિવારોને ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ પરિવારોના લોકોને ચાર અલગ અલગ રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.
આ ગેસ-ઓઇલના આ લીકેજના કારણે આસપાસના વિસ્તારના વાતાવરણ પર વિપરીત અસર થઈ છે. સેંકડો માછલીઓ, ગંગા ડોલ્ફિન્સ, પક્ષીઓ માર્યા ગયા છે. વાઘજાન પાસેના તળાવમાં અનેક ડોલ્ફિન્સ મૃત હાલતમાં મળી આવી છે. તેની ઉપરની ત્વચા ફાટી ગઈ હતી.
સ્થાનિક લોકો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ પાસેથી વળતરની માંગ કરી રહ્યા છે. આસામના વન વિભાગના પ્રવક્તા સૈલેન પાંડેયે જણાવ્યું હતુ કે વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોની નિષ્ણાત ટીમ અકસ્માત બાદ પર્યાવરણીય નુકસાનની તપાસ કરી રહી છે.
આ નિષ્ણાતની ટીમે ડિબ્રુ-સાઈખોવા રાષ્ટ્રીય નેશનલ પાર્કની અંદર રહેવા વેટલેન્ડ અને વાઘજાનની આસપાસના વિસ્તારોનો સંપૂર્ણ અભ્યાસ કરવો પડશે. તેમને કહેવું પડશે કે આ ગેસ-ઓઇલ લીકેજથી પર્યાવરણને કેટલું નુકસાન થયું છે. કેટલા પ્રાણીઓ અને પક્ષીઓ માર્યા ગયા છે તેનો અહેવાલ આ ટીમ 10 જૂન સુધીમાં સરકારને રજૂ કરશે.
આસામ વન વિભાગના પ્રવક્તા સૈનેલ પાંડેયે જણાવ્યું હતુ કે આ ટીમ આ અકસ્માત બાદ રિકવરી પ્રોસેસના શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ સ્ટેપ્સ વિશે વાત કરશે. તેમજ તે પણ જણાવશે કે કેવી રીતે તેલ અને ગેસની અસરને ઘટાડી શકાય કેવી રીતે પ્રાણીઓ, પક્ષીઓ અને ઝાડનું રક્ષણ કરી શકાય.
આસામ વન વિભાગ, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અને સ્થાનિક વહીવટી તંત્ર ગેસ-ઓઇલ લીકેજમાં હવે આગ ન લાગે તે માટેની વ્યવસ્થામાં રોકાયેલા છે. કારણ કે ત્યાં તેલના કૂવામાંથી પાણીનો સતત પ્રવાહ રહે છે. જેના દ્વારા તેલનું પાતળુ પડ પણ આખા વિસ્તારમાં ફેલાય છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અકસ્માત અને તેની આડઅસર વિશે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે વાત કરી હતી. તેમને ખાતરી પણ આપી હતી કે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી મદદ મળશે. સોનોવાલે પીડિતોને વળતરની માંગ કરી છે.
ઓઇલ ઇન્ડિયા લિમિટેડના આ ઓઇલ કૂવામાંથી ગેસ અને તેલનો લિકેજ હજી થઈ રહ્યો છે. કર્મચારીઓ તેને રોકવા માટે સખત મહેનત કરી રહ્યા છે.