આસામમાં AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલે હિંદુ છોકરીઓ પર ગંદી કોમેન્ટ કરીને રાજનીતિમાં મોટો ખળભળાટ મચાવ્યો હતો પરંતુ આખરે શાન ઠેકાણે આવતા માફી માગી હતી.
AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલની છોકરીઓ પર ગંદી કોમેન્ટ
હિંદુઓએ મુસ્લિમની જેમ તેમના છોકરાઓને 18 પહેલા પરણાવી દેવા જોઈએ
કહ્યું, હિંદુઓ ગેરકાયદેસર 2-3 પત્નીઓ રાખે છે
અજમલના નિવેદને રાજનીતિમાં મચાવ્યો ભારે હોબાળો
મોટો વિવાદ થતા આખરે માગી માફી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલના વિવાદાસ્પદ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. તેમણે આસામના કરીમગંજમાં એક કાર્યક્રમ દરમિયાન કંઈક એવું કહ્યું હતું, જે બાદ ભાજપ અને હિંદુ સંગઠનો તેમની પર તૂટી પડ્યાં છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સહિત ઘણા સાંસદો અને ધારાસભ્યોએ અજમલના નિવેદનની નિંદા કરી અને તેમને જીભને કાબુમાં રાખવાની સલાહ આપી હતી.
#WATCH | Hindus should follow the Muslim formula of getting their girls married at 18-20 years, says AIUDF President & MP, Badruddin Ajmal. pic.twitter.com/QXIMrFu7g8
હિંદુઓને શીખામણ
આસામના કરિમજંગમાં એક રેલીને સંબોધતા અજમલે એવું કહ્યું કે તેઓ (હિન્દુઓ) 40 વર્ષની ઉંમર પહેલાં ગેરકાયદેસર રીતે 2-3 પત્નીઓને રાખે છે. 40 વર્ષ પછી, બાળક પેદા કરવાની ક્ષમતા ક્યાંથી રહે? તેઓએ મુસ્લિમ ફોર્મ્યુલા અપનાવવી જોઈએ અને 18-20 વર્ષની ઉંમરે તેમના બાળકોના લગ્ન કરાવવા જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે છોકરીઓની 18 વર્ષ પહેલા શાદી કરી નાખવી જોઈએ કારણ કે ફળદ્રુપ જમીન પર સારી ખેતી થાય છે (કહેવાનો અર્થ 18 વર્ષ પહેલા છોકરીઓ માતા બની જાય)
લઈ જાવ અમારી છોકરીઓ
અજમલે લવ જેહાદ પર પણ નિવેદન આપ્યું હતું. અજમલે કહ્યું કે મુખ્યમંત્રી આજે દેશના ટોચના નેતાઓમાં સામેલ છે તો તેમને કોણ રોકી શકે. તમે પણ લવ જેહાદ કરો અને અમારી મુસ્લિમ છોકરીઓને લઈ જાવ. અમે તેનું સ્વાગત કરીશું અને લડાઈ પણ નહીં કરીએ.
Hindu Yuba - Chattra Parishad, Asom has lodged a complaint at Nagaon Sadar Police Station against AIUDF chief Badruddin Ajmal for his remark on Hindu girls. pic.twitter.com/Mh5E6e4q2X
બદરૂદ્દીન અજમલના આ વિવાદિત નિવેદને હવે હંગામો મચાવ્યો છે અને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચક્રપાણી મહારાજે કહ્યું કે, "આ તમામ વહુઓ અને દીકરીઓનું અપમાન છે, તેથી હું અજમલ સાહેબને કહેવા માંગુ છું કે તેઓ હિંદુ સનાતમ ધર્મ અપનાવે અને અમારો સાત જન્મનો સંબંધ છે, અમે મહિલાઓને માત્ર બાળક પેદા કરવાનું મશીન નથી માનતા. અમે સીતા રામ, રાધા કૃષ્ણ કહીએ છીએ. અહીં આવો, હિંદુઓ પાસેથી શીખો અને સંતો પાસેથી શીખો. તેઓ ધાર્મિક જેહાદથી ભરેલા છે. જો તમારે જ્ઞાન મેળવવું હોય તો હિંદુઓ પાસેથી લઈ લો."
'બદરૂદ્દીને અમને સલાહ ન આપવી જોઈએ'
બેગૂસરાયથી ભાજપના સાંસદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ અજમલ પર આકરા પ્રહારો કર્યા હતા. બદરૂદ્દીન જેવા લોકોએ અમને સલાહ ન આપવી જોઈએ. સનાતન ધર્મમાં પ્રેમની પૂજા હંમેશાથી કરવામાં આવે છે અને આ એક પ્રતીક છે કે આપણા પૂર્વજોને રાજા સાગરના 60,000 પુત્રો હતા, જ્યારે કૃષ્ણને 16,000 પ્રેમિકાઓ અને પત્નીઓ હતી.
'અજમલે ખૂબ જ ખરાબ નિવેદન આપ્યું છે'
ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસેને પણ અજમલના નિવેદનની નિંદા કરી હતી. આવી ઝેરી ભાષા બોલવી ન જોઈએ. ભારતે બનાવ્યો લગ્નનો કાયદો, 18 વર્ષ બાદ બાળકો થયા પુખ્ત, આ નિવેદન શરમજનક છે. જેને લઈને સમગ્ર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ માફી માંગવી જોઈએ."
જયવીર શેરગિલે પણ સાધ્યું નિશાન
થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જયવીર શેરગિલે પણ બદરૂદ્દીન અજમલના વિવાદિત નિવેદનની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, "બદરૂદ્દીન અજમલ મીડિયામાં રહેવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે."
'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે'
અજમલના આ નિવેદન પર ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, "આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને આવી ટિપ્પણીઓને સ્વીકારવામાં આવશે નહીં." ડેપ્યુટી સીએમ પાઠકે કહ્યું કે રાહુલ ગાંધી એ વાતથી અજાણ છે કે ભાજપે ભારતની સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી છે, લોકોએ હવે રાહુલ ગાંધીને નકારી દીધા છે.
'બાંગ્લાદેશી લોકોની અહીં કોઈ જગ્યા નથી'
ભાજપના ધારાસભ્ય દિગંત કાલિતાએ ગુવાહાટીમાં કહ્યું, "તમે મુસ્લિમ છો અને અમે હિન્દુ છીએ. શું અમારે તમારી પાસેથી કેવી રીતે જીવવું તે શીખવાની જરૂર છે? આપણે મુસ્લિમો પાસેથી શીખવાની જરૂર નથી. આ ભગવાન રામ અને દેવી સીતાનો દેશ છે. બાંગ્લાદેશી લોકોને અહીં કોઈ સ્થાન નથી."
વિવાદ વધતા માગી માફી
આ મુદ્દે મોટો રાજકીય વિવાદ થતા અજમલે પોતાના આ નિવેદન પર ખેદ વ્યક્ત કરીને માફી માગી હતી.