આસામ- મિઝોરમ બોર્ડર પર બે જૂથોમાં હિંસક અથડામણના કારણે માહૌલ તણાવ પૂર્ણ છે. આ હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા છે. આસામ ના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રવિવારે રાતે આસામ અને મિઝોરમ બોર્ડરની સ્થિતિની રિપોર્ટ પ્રધાનમંત્રી ઓફિસ અને કેન્દ્રીય મંત્રાલયને આપી હતી. આ સાથે સોનોવાલે મિઝોરમના સીએમ જોરામથાંગા સાથે વાત કરી છે.
આસામ અને મિઝોરમ બોર્ડરની સ્થિતિની રિપોર્ટ પીએમઓને સોંપાયો
આસામ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે મિઝોરમના સીએમ જોરામથાંગા સાથે વાત કરી છે
સોનોવાલના અંતર રાજ્ય સીમા પર શાંતિ બનાવી રાખવા અપીલ કરી
ત્યારે પોલીસ અને સ્થાનીય પ્રશાસનનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને સુરક્ષા કર્મીઓને આસામના કછાર જિલ્લા અને મિઝોરમના કોલાસિબ જિલ્લાના અંતર્ગત સીમાર્તી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન સીએમ સર્બાનંદ સોનોવાલે સીમા વિવાદને ઉકેલવા અને બોર્ડર પર શાંતિ અને કાયદા વ્યવસ્થા બનાવી રાખવાની વકિલાત કરી છે.
સીએમ સર્બાનંદ સોનોવાલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નોર્થ ઈસ્ટ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આ પ્રગતિની સ્પીડ જાળવી રાખવા માટે રાજ્યોને શાંતી જાળી સંબંધોને ગાઢ બનાવવાની જરુર છે. સોનોવાલે કહ્યું કે મતભેદ હોઈ શકે છે પરંતુ તમામ મતભેદોને વાતચીતથી ઉકેલી શકાય છે.
મિઝોરમના સીએમ જોરમથાંગાએ મુખ્યમંત્રી સોનોવાલના અંતર રાજ્ય સીમા પર શાંતિ બનાવી રાખવા અને સહયોગથી કામ કરવાનું આશ્વાસન આપ્યું છે. રિપોર્ટ મુજબ આસામના કછાર જિલ્લાના લાયલપુર વિસ્તારમાં શનિવારે સાંજે આસામ અને મિઝોરમના બે સમૂહોની વચ્ચે અથડામણ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા.
આસામ - મિઝોરમ બોર્ડરની સાથે લૈલાપુર વિસ્તારની પાસેના અસામાજિક તત્વોએ અનેક ઘરોમાં આગ લગાવી હતી. બીજી તરફ આસામના વન મંત્રી પરિમલ સુખાબૈદ્યએ રવિવારે લાયલપુર વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનીય લોકોએ શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.