મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરેંગતે નગરના બહારના ભાગમાં થયેલી હિંસાના મામલામાં આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વ સરમા , રાજ્ય પોલીસના ચાર વરિષ્ટ અધિકારીઓ અને 2 અન્ય અધિકારીઓની વિરુદ્ધ ગુનાહના મામલામાં કેસ દાખલ કર્યો છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. મિઝોરમના પોલીસ મહાનિરિક્ષક જોન એને જણાવ્યું કે આ લોકોની વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને ગુનાહિત ષડયંત્ર સહિત અન્ય ધારાઓનો મામલો નોંધવામાં આવ્યો છે.
વૈરેંગતે સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી
તેમણે કહ્યુ કે સીમાંત નગરની પાસે મિઝોરમ અને આસામ પોલીસ બળની વચ્ચે થયેલી અથડામણ બાદ સોમવારે મોડી રાતે રાજ્ય પોલીસ દ્વારા વૈરેંગતે સ્ટેશનમાં જાણવાજોગ નોંધવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે આસામ પોલીસે 200 અજ્ઞાત કર્મચારીઓની વિરુદ્ધ મામલા નોંધવામાં આવ્યા છે.
આસામ પોલીસે મિઝોરમ સરકારના 6 અધિકારીઓને હાજર થવા કહ્યુ છે
બીજી તરફ આસામ પોલીસે કોલાસિબ જિલ્લાના પોલીસ અધિક્ષક અને ઉપાયુક્ત સહિત મિઝોરમ સરકારના 6 અધિકારીઓને ધોકાઈ પોલીસ સ્ટેશનમાં સોમવારે હાજર થવાને લઈને સમન્સ જાર કર્યુ છે. અધિકારીએ જાણકારી આપી છે.
અધિકારીઓેએ 28 જુલાઈએ સમન્સ જારી કર્યુ હતુ
આસામ પોલીસના એક સૂત્રએ શુક્રવારે કહ્યું કે આ અધિકારીઓએ 28 જુલાઈએ સમન્સ જારી કર્યુ હતુ. આના બે દિવસ પહેલા કછાર જિલ્લાના લૈલાપુરમાં આસામ અને મિઝોરમ પોલીસ દળોની વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં આસામ પોલીસના તપાસ કર્મી અને એક સ્થાનીય વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે 50 થી વધારે અન્ય લોકો ઘાયલ થયા હતા. આ મામલાના સંબંધમાં એક મામલો ધોલાઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે.
કથિત ગંભીર ગુનો કર્યો
કછારના પોલીસ ઉપાધિક્ષક કલ્યાણ કુમાર દાસ દ્વાવા તમામ અધિકારીઓેને જારી અલગ અલગ સમન્સમાં કહ્યું છે. એક યોગ્ય અને વિશ્વસનીય જાણકારી પ્રાપ્ત થઈ છે. તેમના કથિત ગંભીર ગુનો કર્યો છે. આ અંગે સંપર્ક કરવા પર કછારના પોલીસ અધિક્ષક રમનદીપ કોરે સમન્ય અગે પુષ્ટિ કરી પરંતુ વધારે વિવરણ આપવાથી ઈન્કાર કર્યો છે.