આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં સતત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મંગળવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોવાથી આસામના સાત જિલ્લાઓમાં પૂરથી લગભગ બે લાખ લોકોને અસર થઈ છે. આવી જ સ્થિતિ મેઘાલય અને અરુણાચલ પ્રદેશની પણ છે.
સતત થઈ રહેલા વરસાદને કારણે હાલાત ખરાબ થઈ રહ્યા છે
બ્રહ્મપુત્ર સહિત અનેક નદીઓ તોફાને ચઢી
આવનારા દિવસોમાં ત્રણેય રાજ્યનો સ્થિતિ વધારે ખરાબ થવાની સંભાવના
આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના જણાવ્યા અનુસાર, ધેમજી, લખિમપુર, દરંગ, નલબારી, ગોલપરા, ડિબ્રુગઢ અને ટીનસુકિયાના 17 મહેસૂલ વિસ્તારોના 229 ગામો પૂરગ્રસ્ત થયા છે તો કુલ 1,94,916 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે અને તેમાંથી 9,000 લોકોએ ધેમાજી, લખીમપુર, ગોલપારા અને ટીનસુકિયા જિલ્લામાં સ્થાપિત 35 રાહત શિબિરોમાં આશરો લીધો છે.
એએસડીએમએએ જણાવ્યું હતું કે પૂરના કારણે લગભગ 1,007 હેક્ટર પાક વિસ્તાર ડૂબી ગયો છે અને આશરે 16,500 ઘરેલું પશુઓ અને મરઘાઓને અસર થઈ છે. રાજ્યની મોટાભાગની નદીઓ અનુક્રમે સોનીતપુર અને નેમાતીઘાટ (જોરહાટ)માં જિયા ભરાલી અને બ્રહ્મપુત્રા ઉપરના જોખમ ચિહ્નથી ઉપર વહી રહી છે.
દરમિયાન સોમવારે અરૂણાચલ પ્રદેશના દિબાંગ વેલી જિલ્લાના આરજુ ગામમાં ભૂસ્ખલનથી એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં અવિરત વરસાદથી રાજ્યના મોટા ભાગોમાં અસર થઈ છે.
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયક રકમની જાહેરાત કરી હતી. તેમણે જિલ્લા અધિકારીઓને લોકોને પૂર અને ભૂસ્ખલનથી બચાવવા સલામત વિસ્તારોમાં લઈ જવા સૂચન કર્યુ હતું.
26 મેથી 28 મે દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરનારા ભારત હવામાન વિભાગ (આઇએમડી) એ આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસો સુધી ત્રણેય રાજ્યોની સ્થિતિ વધું ગંભીર થવાની શક્યતા છે.