આસામના તેજપુરમાં વિદેશી જાહેર કરાયેલા એક માનસિક રૂપથી અસ્થિર વૃદ્ધનું ધરપકડ કરવા પર મોત થઇ ગયું. ત્યારબાદ તેમના પરિવારજનોએ તેમનો મૃતદેહ ત્યાં સુધી લેવાથી ઇનકાર કરી દીધો જ્યાં સુધી તંત્ર તેમને અહીંના (ભારતના) નાગરિક જાહેર ન કરે.
આસામના તેજપુરમાં વિદેશી જાહેર કરાયેલા વૃદ્ધનું ધરપકડ કરવા પર મોત
પરિવારજનોનો મૃતદેહ સ્વીકાર કરવાથી ઇનકાર
10 હજારથી વધારે લોકોએ રસ્તો જામ કરીને ધરણા કર્યા
સોનિતપુર જિલ્લાના અલિસિંગા ગામમાં રહેતા 65 વર્ષીય દુલાલ ચંદ્ર પોલનું રવિવારે ગુવાહાટી મેડિકલ કોલેજમાં બીમારી બાદ નિધન થઇ ગયું. ત્યારબાદ 10 હજારથી વધારે લોકો રસ્તો જામ કરીને ધરણા પર બેસી ગયા. બાદમાં રાજ્ય સરકારે આ મામલાની તપાસના આદેશ આપી દીધા.
રોષે ભરાલેયા વૃદ્ધના મોટા પુત્ર આશીષે જણાવ્યું કે, 'રાજ્યે તેમને વિદેશી જાહેર કરી દીધા છે, તો એમણે તેમનો મૃતદેહ બાંગ્લાદેશને સોંપી દેવો જોઇએ. અમે મૃતદેહને ત્યાં સુધી નહીં સ્વીકારીશું જ્યાં સુધી સરકાર એક નિવદેન જાહેર કરે કે પોલ વિદેશી નહીં, ભારતીય હતા.' પરિવારે જાહેર કર્યું કે વર્ષ 2017માં માનસિક રૂપે અસ્થિર થવા છતા પોલને વિદેશી જાહેર કરી દેવાયા હતા. બીજી તરફ સરકારે ગત ચાર દિવસોમાં પરિવારના સભ્યો અને ગ્રામજનોને મૃતદેહ સ્વીકાર કરાવા અને મનાવવા માટે તેમના ગામમાં ઘણા પ્રતિનિધિમંડળ મોકલ્યા છે.
તેમના પરિવાર અને ગ્રામજનોને સૌથી વધારે નારાજગી એ વાતની હતી કે જેલ વિભાગના અધિકારી જ્યારે વૃદ્ધનો મૃતદેહ સોંપવા માટે આવ્યા હતા તો એક દસ્તાવેજ પણ લાવ્યા હતા. જેમા તેમને કથિત રીતે 'વિદેશી જાહેર કરાયેલ' બતાવાયા હતા. તેમના સરનામાની કોલમ ખાલી છોડી દેવાઇ હતી.
તેમના પુત્રે સાથે કહ્યું કે, 'તેમને અમારા રહેઠાણ વિશે સારી રીતે જાણકારી હતી. તેમ છતા એ કોલમ ખાલી છોડી દેવાયું. અમારુ માનવું છે કે તે લોકો બાદમાં બાંગ્લાદેશનું કોઇ કાલ્પનિક સરનામુ તેમા જોડી દેશે. તો જો તે બાંગ્લાદેશી છે, તો તેમનો મૃતદેહ અમને કેમ મોકલ્યો? તેમણે મૃતદેહ બાંગ્લાદેશ મોકલવો જોઇએ.'