આસામ સરકારે રાજ્યમાં સરકાર દ્વારા સંચાલિત તમામ મદરેસાઓ અને સંસ્કૃત ટોલ (શાળાઓ) બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કાર્યરત ધાર્મિક શાળાઓને થોડા મહિનામાં ઉચ્ચ શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રૂપાંતરિત કરવામાં આવશે.
ધાર્મિક હેતુ માટે શિક્ષણ આપવું એ સરકારનું કામ નથી
જો મદરેસાઓ કુરાન શીખવવા માટે રાજ્યનાં ભંડોળનો ઉપયોગ કરશે તો...
મંત્રીએ કહ્યું, અમારે ગીતા, બાઈબલ પણ શીખવવું પડશે.
રાજ્યો ધાર્મિક સંસ્થાઓને ભંડોળ આપી શકતા નથી
આસામ સરકારે શિક્ષણ અને ધર્મને લઈને એક સ્પષ્ટતા કરતા એક નિર્ણય લીધો છે. આ અંગે વાત કરતા આસામનાં શિક્ષણ પ્રધાન હેમંત વિશ્વ શર્માએ કહ્યું કે, અમે તમામ મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓને ઉચ્ચ શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે, રાજ્યો ધાર્મિક સંસ્થાઓને ભંડોળ આપી શકતા નથી. જો કે, એનજીઓ / સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત મદરેસાઓ ચાલુ રહેશે.
ધાર્મિક હેતુ માટે શિક્ષણ આપવું એ સરકારનું કામ નથી
હેમંત વિશ્વ શર્માએ એમ પણ કહ્યું હતું કે, ‘ધાર્મિક હેતુ માટે ધર્મ, ધાર્મિક શાસ્ત્ર, અરબી અને અન્ય ભાષાઓ શીખવવી એ સરકારનું કામ નથી.’ તેમણે કહ્યું કે, ‘જો કોઈ એનજીઓ અથવા સામાજિક સંસ્થા ધર્મ શીખવવા માટે તેના નાણાં ખર્ચ કરે છે, તો ત્યાં કોઈ સમસ્યા નથી. પરંતુ તેને નિયમનકારી માળખામાં પણ કામ કરવું પડશે.’ તેમણે કહ્યું કે, ‘જો મદરેસાઓ કુરાન શીખવવા માટે રાજ્યનાં ભંડોળનો ઉપયોગ કરશે, તો અમારે ગીતા, બાઈબલ પણ શીખવવું પડશે.
HB Sarma, Assam Minister: We have decided to convert all Madrasas and Sanskrit tols(schools) to high schools and higher secondary schools, as the state can't fund religious institutions. However, Madrasas run by NGOs/Social orgs will continue but within a regulatory framework pic.twitter.com/c3DKQzEMfu
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે માત્ર સરકાર દ્વારા સંચાલિત ધાર્મિક શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. મદ્રેસાઓ અને સંસ્કૃત ટોલમાં કામ કરતા શિક્ષકો જશે નહીં. આ શિક્ષકો ઘરે નિવૃત્ત થાય ત્યાં સુધી પગાર મેળવશે. અન્ય શાખાઓના શિક્ષકો રૂપાંતરિત સામાન્ય શાળાઓમાં તેમના વિષયો ભણાવવાનું ચાલુ રાખશે..
રાજ્યમાં કેટલી મદરેસા અને કેટલી સંસ્કૃત શાળા
આસામ સરકારના મદ્રેસા એજ્યુકેશન બોર્ડનાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કુલ 612 મદરેસાઓ છે. ઈસ્લામી શિક્ષણ આપવા સાથે આ વિષયો અન્ય વિષયોમાં પણ ભણાવે છે. મદરેસાની સાથે સરકારે સરકારી અનુદાનથી ચાલતી 101 સંસ્કૃત શાળાઓને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સંસ્કૃત શાળાઓ વૈદિક શિક્ષણની સાથે અન્ય વિષયો પણ શીખવે છે.