નાગૌનના રાહા વિધાનસભા ક્ષેત્રમાં પૂરથી લગભગ 1.42 લાખ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તેમના ઘરો ડૂબી ગયા છે.
આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ગંભીર છે
નાગૌનના રાહા વિધાનસભા ક્ષેત્રમાં પૂરથી લગભગ 1.42 લાખ લોકો પ્રભાવિત
નાગૌન જિલ્લાના 155 ગામો હજુ પણ પાણીમાં ગરકાવ
આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ગંભીર છે. રાજ્યના 28 જિલ્લાઓમાં 33 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. નાગૌન જિલ્લાના 155 ગામો હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે. ઠેર-ઠેર પાણી ઘુસવાને કારણે લોકો હાઈવેની બાજુમાં તંબુ બાંધીને રહેવા મજબૂર બન્યા છે.
#WATCH असम: नागांव ज़िले में बाढ़ की स्थिति बनी हुई है। बाढ़ की वजह से लोगों को काफी दिक्कतें हो रही हैं। (24.06) pic.twitter.com/DsS6IGYk3W
નાગૌનના રાહા વિધાનસભા ક્ષેત્રમાં પૂરથી લગભગ 1.42 લાખ લોકો પ્રભાવિત
નાગૌનના રાહા વિધાનસભા ક્ષેત્રમાં પૂરથી લગભગ 1.42 લાખ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તેમના ઘરો ડૂબી ગયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સેંકડો લોકોએ તેમના ઘર છોડીને હાઇવે અને રોડની બાજુમાં તંબુઓમાં રહેવું પડ્યું છે. પાણી ભરાઈ રહેતા પરિસ્થિતિ જલ્દી સુધરવાની આશા નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે તાજેતરમાં વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રાહત શિબિરોમાં શાળાઓની સ્થાપના
નાગૌન જિલ્લામાં બાળકોને રાહત શિબિરોમાં પ્રી-સ્કૂલ પ્રવૃત્તિઓ કરવી પડે છે. ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસના સુપરવાઈઝર એન.ડી.ડોલેએ જણાવ્યું હતું કે પ્રિ-સ્કૂલ એક્ટિવિટીઓમાં સવારની પ્રાર્થના, કસરત, ચિત્રકામ શીખવવામાં આવે છે.
આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, તમામ 28 જિલ્લાઓમાં 33 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. 2.65 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં રહે છે. પૂર અને વરસાદ સંબંધિત અકસ્માતોને કારણે અત્યાર સુધીમાં 118 લોકોએ જીવ ગુમાવ્યા છે.